Sunday, March 12, 2023

વલસાડ જિલ્લામાં 3 માસ બાદ ફરી કોરોનાએ એન્ટ્રી કરી, વીરપુર અને સારંગપુર ગયેલા વૃદ્ધ સંક્રમિત થયા | Corona re-entered Valsad district after 3 months, old people who went to Virpur and Sarangpur got infected | Times Of Ahmedabad

વલસાડએક કલાક પહેલા

  • કૉપી લિંક

રાજ્યમાં કોરોનાના કેસો વધતા રાજ્ય આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. વલસાડ તાલુકામાંથી વીરપુર અને સારંગપુર ખાતે ધુળેટી પર્વને લઈને પ્રવાસે ગયેલા એક વૃદ્ધ વલસાડ આવ્યા બાદ કોવિડના સામાન્ય લક્ષણો જણાઈ આવ્યા હતા. તકેદારીના ભાગ રૂપે કોરોના ટેસ્ટ કરાવતા વૃદ્ધ આજરોજ કોરોના સંક્રમિત જાહેર થયા હતા. જેને લઈને વલસાડ તાલુકા અને જિલ્લાનું આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. વલસાડ જિલ્લામાં છેલ્લો કેસ 6 જાન્યુઆરીના રોજ આવ્યો હતો. જેના 3 માસ બાદ ફરી કોરોનાનો કોઈ જાહેર થતા જિલ્લા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.

રાજ્યમાં કોરોનાના કેસો વધતા રાજ્ય આરોગ્ય વિભાગે તમામ જિલ્લાઓની આરોગ્ય વિભગની ટીમને સતર્ક કરી દીધી છે. વલસાડ તાલુકામાં રહેતા એક 73 વર્ષીય ખેડૂત ધુળેટી પર્વ નિમિત્તે વીરપુર અને સારંગપુર ખાતે દર્શન કરવા અને ધુળેટી પર્વની ઉજવણી કરવા ગયા હતાં. વડીલ 8 માર્ચે મોડી સાંજે વલસાડ પરત આવ્યા હતા. જે બાદ તેમણે કોરોનાના સામાન્ય લક્ષણો જણાઈ આવતા તાત્કાલિક વલસાડ આરોગ્ય વિભાગનો સંપર્ક કરીને કોરોના RTPCR ટેસ્ટ કરાવ્યો હતો. આજ રોજ આરોગ્ય વિભગની વલસાડ તાલુકાના એક વૃદ્ધને સંક્રમિત જાહેર કરવામાં આવતા આરોગ્ય વિભાગે તેમની સાથે પ્રવાસમાં ગયેલા યાત્રીઓની યાદી મેળવી તેમને તપાસ હાથ ધરી છે. વલસાડ તાલુકામાં 3 માસના લાંબા વિરામ બાદ કોરોનાનો કેસ જોવા મળતા જિલ્લાનું આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. આરોગ્ય વિભગની ટીમે સંક્રમિત જાહેર થયેલા ખેડૂતના ઘરની આજુબાજુમાં કોરોના અંગે જાગૃતિ અભિયાન હાથ ધર્યું છે. સાથે ખેડૂત સાથે પ્રવાસે ગયેલા સભ્યોની યાદી મેળવવામાં આવશે. તેમના RTPCR ટેસ્ટ કરીને કોરોના સંક્રમણ ઘટાડવામાં આવશે. વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં 13,940 દર્દીઓ સંક્રમિત જાહેર થયા છે. પૈકી 1 સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં જિલ્લા આરોગ્ય વિભાગની સૂચના મુજબ સારવાર મેળવીને અત્યાર સુધીમાં 13,440 કોરોના સંક્રમિત દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. તેમ જિલ્લા આરોગ્ય અધિકારીએ એક અખબાર યાદીમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે…