Saturday, March 11, 2023

રાજકોટમાં પતિ સિગારેટના ડામ દઈ મારકૂટ કરતો, પિતાના ઘરમાં ઘૂસી નણંદ, માસીજી સહિતનાએ માર માર્યો | husband and his family torture to woman in rajkot | Times Of Ahmedabad

રાજકોટ21 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર.

રાજકોટના આંબેડકર સર્કલ પાસે ભવાનીનગર શેરી નં.1માં પિતાના ઘરે રહેતી ઉર્મિલાબેન ઉર્ફે ટ્વિંકલ કલ્પેશભાઇ સોલંકીએ ધ્રોલના જાયવા ગામે રહેતાં સાસરિયા વિરૂદ્ધ પોલીસમાં ફરિયાગ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે પતિ કલ્પેશ રમેશ સોલંકી, સસરા રમેશ કાનજી સોલંકી, સાસુ મંજુલા, માસીજીનો પુત્ર અંકુર ભાસ્કર, નણંદ દીપીકાબેન, કાકીજી પ્રિતીબેન અને માસીજી હંસાબેન વાણીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે પતિ સિગારેટના ડામ દઈ મારકૂટ કરતો હતો અને પિતાના ઘરમાં ઘૂસી નણંદ, માસીજી સહિતનાએ માર માર્યો હતો.

પરિણીતાએ સાસરિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી
ફરિયાદમાં ઉર્મીલાબેને વધુમાં જણાવ્યું હતું કે, હાલ તે તેના માતા-પિતા સાથે રહે છે અને બીસીએ સુધીનો અભ્યાસ કર્યો છે. તેમના ગત તા.16-2-2023ના રોજ કલ્પેશ રમેશભાઇ સોલંકી સાથે લગ્ન થયા હતા. લગ્નના પાંચેક દિવસ બાદ તેના પતિ કલ્પેશે કહ્યું કે, મારે લગ્ન પહેલા ઘણી છોકરી સાથે અફેર હતું, તારે પણ હશે. આથી મેં કહ્યું કે, મારે કોઈ સાથે અફેર ન હતું. આથી તે એકદમ ઉશ્કેરાઇ જઇ તારે કોઇ સાથે અફેર હશે જ કહી મારકૂટ કરી ગાળો આપવા લાગ્યો હતો. તેમજ 21મીના રોજ રાત્રિના તેમણે લાતો મારી હતી.

હાથ અને પગ પર સિગારેટના ડામ દીધા
દરમિયાન એક દિવસ હાથ અને પગ પર સિગારેટના ડામ દીધા હતા. ત્યારે તે રૂમની બહાર નીકળી ગઈ હતી અને હોલમાં સૂતેલા સાસુ-સસરાએ શું થયું પૂછતાં કહ્યું કે, તમારો પુત્ર ખોટી શંકા કરી મારકૂટ કરી સિગારેટના ડામ આપે છે કહેતાં તેમનો સાથ આપ્યો નહીં અને સારવાર પણ કરાવી નહીં.
28મીના રાત્રિના તેના માસીજી જયોત્સનાબેન તથા તેનો પુત્ર ઘરે આવતાં તે લોકો પરિણીતાને પહેરેલ કપડે તેના માતા-પિતાના ઘરે મૂકવા ગયા હતાં. બાદમાં તેના પતિનો ફોન આવ્યો કે તું પરત જાયવા આવતી રહે, નહીંતર હું તને લઈ જઇશ. તેમજ મારકૂટ કરી જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આથી ભયના લીધે ઊર્મિલાબેન તેના માતા-પિતા સાથે તેના માસીના ઘરે ધોરાજી જતાં રહ્યા હતાં.

9 માર્ચે ઘરે આવી જાનથી મારી નાખવાની ધમકી આપી
અહીં પણ પાછળ આવ્યા હતા અને તેના પતિએ માર મારતાં સારવારમાં હોસ્પિટલમાં દાખલ થઈ હતી. બાદમાં તબિયત સારી થતાં ગત 7 માર્ચના રોજ રાજકોટ પરત આવી હતી. દરમિયાન ગત 9 માર્ચના રોજ તેનો પતિ અને માસીજીનો પુત્ર અંકુર ઘરે આવ્યા હતા અને દરવાજામાં લાતો મારી ગાળો આપી કલ્પેશે કહ્યું કે, તું મારી સાથે આવતી રહે, જો નહીં આવ તો તને તથા તારા માતા-પિતા, ભાઈને પણ જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી નાસી છૂટ્યા હતાં.

ગઈકાલે ફરી સાસરિયાઓએ મારકૂટ કરી
ગઈકાલે રાત્રિના ફરીવાર તેનો પતિ, નણંદ દીપિકાબેન, માસીજી હંસાબેન અને કાકી પ્રિતીબેન સોલંકી ધસી આવ્યા હતાં અને તેના નણંદે હાથ પકડી કહ્યું કે, તું પાછી આવતી રહે, જેથી તેમને મારે નથી આવવુ કહેતાં ધસી આવેલા શખ્સોએ મારકૂટ કરી હતી. દરમિયાન શેરીમાં લોકો એકઠાં થઈ જતાં તમામ લોકો નાસી છૂટ્યા હતાં. બનાવ અંગેની ફરિયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

તલ્લાક બાદ પુત્રની કાયમી કસ્ટડી માટે પતિ-પત્ની વચ્ચે તકરાર
રાજકોટની પરિણીતાના વર્ષ 2014માં નિકાહ થયા હતા, ત્યારબાદ દહેજ અને પતિ દારૂ પિતા હોવાના કારણે પરિણીતા કંટાળી ગઈ હતી. તેમજ પતિ પરસ્ત્રીના ફોટો મોબાઇલમાં રાખતા હોવાના આક્ષેપ બાબતે દંપતી વચ્ચે તકરાર થતા પરિણીતા સગીર પુત્ર સાથે સાસરીયાનો ત્યાગ કરી માવતરમાં પરત ફરી હતી. આથી પતિએ પત્નીને તલાક આપ્યા હતા. ત્યારબાદ પરિણીતાએ સાસરીયા વિરુદ્ધ પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ મુજબ ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી. ભરણપોષણ મેળવવાની અરજી કરી દાખલ કરી હતી. છેલ્લે મહિલાએ પોતાના પુત્રની કાયમી કસ્ટડી મેળવવા માટે રાજકોટ ફેમિલી કોર્ટમાં ગાર્ડીયન એન્ડ વોર્ડસ એક્ટ હેઠળ અરજી દાખલ કરી હતી. પુત્રની કસ્ટડી મેળવવાની અરજી અદાલતમાં ચાલવા પર આવતા બન્ને પક્ષના વકીલોની રજૂઆત બાદ પતિ વતી રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે પરિણીતાની પુત્રની કાયમી કસ્ટડી મેળવવાની અરજીના મંજૂર કરતો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે…