Saturday, March 11, 2023

વડોદરામાં રખડતા ઢોરોની અડફેટે બે લોકો ઇજાગ્રસ્ત, બંને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ | Two people injured in Vadodara encounter with stray cattle, both admitted to hospital for treatment | Times Of Ahmedabad

વડોદરા16 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વડોદરા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે. વડોદરા શહેરના સમાથી અભિલાષા કેનાલ તરફ જવાના રોડ પર રખડતા ઢોરે એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો. એક્ટિવા પર સવાર બે લોકોને ઇજાગ્રસ્ત થયા હતા. જેથી બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી જલારામ સોસાયટીમાં રહેતા કનુભાઈ મણીલાલ પ્રજાપતિ (ઉ.42) આજે બપોરના સમયે અભિલાષા વાલ્મિકીનગર પાસેથી એક્ટિવા લઈને પસાર થઈ રહ્યા હતા. તે સમયે અચાનક ગાય વચ્ચે આવી જતા એક્ટિવા પરથી તેઓ નીચે પડી ગયા હતા. જેથી તેઓને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગાયે અડફેટે અન્ય એક વ્યક્તિને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ગાયે કચડી નાખતા વૃદ્ધાનું મોત થયું હતું
આઠ દિવસ પહેલા વડોદરાના માણેજા વિસ્તારમાં રખડતી ગાયોએ એક વૃદ્ધા પર હુમલો કરતા વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાના સામે આવેલા વીડિયોમાં સ્પષ્ટપણે નજરે આવી રહ્યું હતું કે, વૃદ્ધ મહિલા ગંગાબેન પરમાર રસ્તા પર પડી ગયેલાં છે અને ગાયો તેના પર પગથી ખૂંદી રહી છે. આ સાથે મોં દ્વારા પણ મહિલાને ઈજાઓ પહોંચાડી રહી હતી. સ્થાનિકો દ્વારા ભારે જહેમતે ગાયોને દૂર કરી હતી. જોકે, તે પહેલાં જ વૃદ્ધા ગંગાબેન પરમાર મોતને ભેટ્યાં હતાં.

રખડતી ગાયોને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા
અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે સ્માર્ટ સિટીની વાતો કરતા શાસક ભાજપ 25 વર્ષથી કોર્પોરેશનમાં સત્તા ભોગવી રહ્યો છે. વડોદરામાં રસ્તે રખડતી ગાયોને કારણે અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. આમ છતાં કોર્પોરેશનમાં સત્તાધારીઓ શહેરીજનોને રસ્તે રખડતી ગાયોના ત્રાસમાંથી મુક્તિ અપાવી શક્યું નથી. શહેરીજનોને રસ્તે રખડતી ગાયોથી મુક્તિ અપાવવા માટે મોટી વાતો થાય છે,પરંતુ તેનો કોઇ અમલ થતો નથી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: