Friday, March 10, 2023

ગોધરામાં વેરા વધારા નિર્ણય સામે વાધા અરજી સામે પ્રતિભાવ લેવામા આવ્યા; અરજદારોએ નગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો | In Godhra, responses were received against the petition challenging the tax hike decision; Petitioners expressed resentment against the municipality | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Panchmahal
  • In Godhra, Responses Were Received Against The Petition Challenging The Tax Hike Decision; Petitioners Expressed Resentment Against The Municipality

પંચમહાલ (ગોધરા)એક કલાક પહેલા

ગોધરા નગરપાલિકા દ્વારા જાહેરાત કરીને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં ગોધરા નગરપાલિકા દ્વારા વેરા વધારાના નિર્ણય સામે વાંધા અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં 21 જેટલી વાંધા અરજીઓ ગોધરા નગરપાલિકા કચેરી ખાતે આવી હતી. ત્યારે આજરોજ ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત નગરપાલિકાના કમિટીના સભ્યોની ઉપસ્થિતિમાં 21 જેટલા નાગરિકોની વાંધા અરજીઓના પ્રતિભાવ લેવામાં આવ્યા હતા.

આજરોજ ગોધરા નગરપાલિકા કચેરી ખાતે ચીફ ઓફીસર અને પાલિકાના સભ્યોની ઉપસ્થિતિમાં વેરા વધારાની બાબતે જે વાંધા અરજીઓ મંગાવવામાં આવી હતી. ત્યારે આજે તેની સુનાવણીમાં 21 જેટલા લોકોની વાંધા અરજીઓને સાંભળવામાં આવી હતી. ગોધરા નગરપાલિકામાં સમાવેશ થતાં 1થી 11 વોર્ડમાં વેરા વધારાની બાબતે વાંધા અરજીઓ મંગાવવામાં આવી હતી. જેના ભાગરૂપે જે લોકોએ વાંધા અરજીઓ કરી હતી, તે લોકોને કમિટીના સભ્યોની ઉપસ્થિતમાં એક બાદ એકને બોલાવવામાં આવ્યા હતા.

વેરા વસૂલાત બાબતે બોલાવવામાં આવેલા નાગરિકોને એક બાદ એક સાંભળ્યા હતા. જેમાં ગોધરાના જાગૃત નાગરિક આશિષ કામદારે ગોધરા નગરપાલિકા દ્વારા વેરા વધારાની સામે વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે, પહેલા ગોધરા શહેરમાં જરૂરી સુવિધાઓ આપો અને સફાઈ કામ, સમયસર પાણી, સ્ટ્રીટ લાઈટ અને અન્ય જરૂરી સુવિધા પૂરી પાડો. ત્યારબાદ વેરા વધારાના નિર્ણય લો.

સંજયભાઈ ટેહલ્યાણી એ જણાવ્યું હતું કે, એકબાજુ કારમી મોંઘવારી એ માઝા મૂકી અને માંડ માંડ કોરોના જેવી મહામારીમાંથી જનતા બહાર આવી છે અને ધંધો રોજગાર ધીરે ધીરે લાઈન પર આવે છે. ત્યારે આવા સમયે ગોધરા નગરપાલિકા દ્વારા વેરા વધારાનો નિર્ણય લેવો અયોગ્ય છે. બીજી બાજુ નગરપાલિકા તંત્ર સદંતર સાફ સફાઈ, પીવાનું પાણી, સ્ટ્રીટ લાઈટ અને અન્ય જરૂરી સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ ગઈ છે. વધુમાં જણાવ્યું હતું કે, તમને નગરપાલિકાનો વહીવટ ચલાવતા ન આવડતું હોય તો અમને આપો તેમ કહી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: