- Gujarati News
- Local
- Gujarat
- Patan
- In Seven Villages Of Radhanpur, Farmers Are Angry About Not Getting Water For Drinking In The Narmada Canal For The Last Few Months, They Reached The Narmada Office And Protested.
પાટણએક કલાક પહેલા
- કૉપી લિંક

રાધનપુર વિસ્તારમાં એકબાજુ કેનાલોમાં ગાબડા તેમજ ઓવરફ્લો થવાની ઘટનાથી ખેડૂતોના પાકમાં નુકસાની સાથે હજારો લીટર પાણીનું વેડફાટ થઇ રહ્યું છે ત્યારે બીજી બાજું કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં કેનાલમાં પાણી ન મળતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ પાણીની માંગ સાથે નર્મદા કચેરી પહોંચી ‘પાણી આપો’ના સૂત્રચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.

રાધનપુર તાલુકાના માનપુરા, ધરવડી, બાદરપુરા,મઘાપુરા સહીત સાત ગામમાં નર્મદાની કેનાલમાં છેલ્લા કેટલાક મહિનાઓથી પિયત માટે પાણી ન મળતા ખેડૂતો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. ગામના સરપંચોને સાથે રાખી વિરોધ પ્રદર્શન કરી નર્મદાની ઓફિસે રજુઆત કરવા પહોંચ્યા હતા. કેનાલમાં વહેલી તકે પાણી છોડવાની માંગ કરી હતી. અધિકાઓ દ્વારા ખેડૂતોનો આક્રોશ જોતા બે દિવસમાં કેનાલમાં પાણી આપવામાં આવશે અને સમસ્યા હલ થશે તેવી હૈયાધરણા આપી ખેડૂતોને શાંત પાડ્યા હતા. જોકે, ખેડૂતોનું કહેવું છે કે, હાલ તો અધિકારીઓ દ્વારા કેનાલમાં પાણી છોડી સમસ્યા હલ કરવા કહ્યું છે પરંતુ જો બે દિવસમાં પાણી નહીં આવે તો ઉપવાસ પર બેસી આંદોલનની કરશું તેવી ચીમકી આપી હતી.