સુરતએક કલાક પહેલા
- કૉપી લિંક

ફાઇલ તસવીર.
સુરતના ડીંડોલીમાં 31 વર્ષીય મહિલાઓનું શરદી-ઉધરસની સામાન્ય બીમારીમાં મહિલાની તબિયત અચાનક જ વધારે લથડી જતા તે મોતને ભેટી છે. આ ઘટનાને લઇ સુરત આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. અને જે રીતે H3N2 વાયરસના લક્ષણો છે તે મુજબના દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા મહિલાના સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યા છે. હાલ તો માત્ર મહિલાના રિપોર્ટમાં શરદી-ઉદરસને લઈ શ્વાસ લેવામાં તકલીફ અને બીપી વધી જતા મોત થયું હોવાનું સામે આવ્યું છે.
પાંચ દિવસમાં મહિલાનું શરદી-ઉધરસમાં મોત
સુરતના ડીંડોલી વિસ્તારમાંથી 31 વર્ષીય પન્નાબેન મુગડીયા નામની મહિલાને ગત ચાર માર્ચના રોજ શરદી, ઉધરસ કફ જેવી બીમારી થતા તેને સામાન્ય સારવાર શરૂ કરી હતી. અને 10 તારીખ સુધી પાંચ દિવસમાં આ બીમારીમાં તેને એટલું ઇન્ફેક્શન થઈ ગયું કે તેનું મોત નીપજ્યું હતું. ત્યારે મહિલાના આ પ્રકારના સામાન્ય લક્ષણ સાથે અચાનક મોત થઈ જતા આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયું હતું.
મહિલાને સામાન્ય ટ્રીટમેન્ટ શરૂ કરી હતી
મહિલાના શરદી-ઉધરસને લઇ અચાનક મોત નીપજવાને લઈ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી નિમેશ દેસાઈએ જણાવ્યું હતું કે મહિલાને 4થી 10 તારીખ સુધી શરદી-ઉધરસની તકલીફ હતી. પહેલા સામાન્ય ઉધરસ હતી. લોકલ ટ્રીટમેન્ટ લીધી હતી. સ્ટેબિલાઇઝરથી નાઝ લીવડાવવામાં આવતો હતો. પછી મહિલાને અચાનક જ થોડી શ્વાસની તકલીફ થઈ હતી. અને ત્યારબાદ અચાનક બીપી લો થઈ ગયું હતું. એટલે તાત્કાલિક તેમને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. આઈસીયુમાં ટ્રીટમેન્ટ ચાલતી હતી. દરમિયાન તેમનું અચાનક મોત નીપજ્યું હતું.
મહિલાને બીજી કોઈ જ બીમારી હતી નહીં
મહિલાના આ રીતે મોત અંગે આરોગ્ય અધિકારી ડોક્ટર નિમેશ દેસાઈ વધુમાં જણાવ્યું હતું કે મહિલાના મોત બાદ અમે તમામ રીતની તપાસ કરી હતી. ત્યારે અમારી પાસે એવા જ રિપોર્ટ આવ્યા છે કે મહિલાનું બીપી ડાઉન થઈ ગયું હતું. શરદી, ઉધરસ, કફ હતો. છેલ્લે સ્ટેબીલાઈઝરથી નાઝની ટ્રીટમેન્ટ આપી હતી.તે ઉપરાંત મહિલાને બીજી કોઈ બીમારી હતી નહીં. મહિલાની તમામ ડિટેલ કઢાવડાવી હતી જેમાં બીજી કોઈ બીમારી મહિલામાં જણાઈ નથી.
H3N2ની શંકાને લઈ મહિલાના સેમ્પલ લઇ મોકલાયા
દેશમાં કોરોના વાયરસ જેવા જ H3N2 એફલુએન્ઝાના વાયરસના લક્ષણોનું સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે. જે પણ ખૂબ જ ઘાતક સાબિત થઈ રહ્યું છે. H3N2ના લક્ષણો પણ સામાન્ય શરદી, ઉધરસ, તાવ, કફ જેવા છે. અને તે ખૂબ જ ચેપી રોગ માનવામાં આવી રહ્યો છે ત્યારે ડીંડોલીમાં આવા જ લક્ષણોની બીમારીમાંથી અચાનક મોતને ભેટેલી મહિલાને લઇ H3N2ની શંકા ઉપજાવી છે. જેને લઇ આરોગ્ય અધિકારી ડોક્ટર નિમેશ દેસાઈએ જણાવ્યું હતું કે હાલ તો આ મહિલાનો શરદી અને ઉધરસ જેવા જ રિપોર્ટ થયેલા હતા. એટલે આપણે એ ડાયગ્નોજિસ ડાયરેક્ટ ન કહી શકીએ કે H3N2 જે વાત ચાલે છે તે મુજબ ચોક્કસ કહી શકાય નહીં. કારણ કે પહેલા માત્ર સામાન્ય શરદી ઉધરસ હતી અને છેલ્લા દિવસોમાં ઉધરસ વધી ગઈ હતી. ઇન્સુએન્ઝામાં આટલું ઝડપથી વધી જવું એ ડાઇગ્નોસીસ માનવામાં આવતું નથી. એટલે હાલ રિપોર્ટમાં શરદી, ઉધરસ, કફ જ હતું બીજું કાંઈ જણાવ્યું નથી. સ્મીમેરના હોસ્પિટલ દ્વારા મહિલાના પીએમ રિપોર્ટ લીધા છે. તે ઉપરાંત મહિલાના સેમ્પલ લઇ ગાંધીનગર પર મોકલવામાં આવી રહ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ સાચું કારણ જાણી શકાશે.
પરિવારના સભ્યો હેલ્થ પર ધ્યાન આપવા સૂચના
મહિલાનું જે રીતે અચાનક શરદી-ઉધરસને લઈ મોત થઈ જતા આરોગ્ય વિભાગ ખૂબ જ એલર્ટ જોવા મળ્યું છે. મહિલાના મોતને લઈ H3N2ની શંકા ઉપજી રહી છે ત્યારે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પણ પરિવાર પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. મહિલાના માત્ર શરદી ઉધરસના જ રિપોર્ટ આવ્યા હોવાથી પરિવારને આઇસોલેટ કરાયા નથી પરંતુ આરોગ્ય અધિકારીઓ દ્વારા મહિલાના પરિવારના સભ્યોને સૂચના આપી દેવામાં આવી છે કે પરિવારના કોઈ પણ સભ્યને સામાન્ય શરદી ઉધરસ કે તાવ જણાય આવે તો તાત્કાલિક સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગનો સંપર્ક કરે અથવા નજીકમાં રહેલ ખાનગી હોસ્પિટલમાં તેની ટ્રીટમેન્ટ કરાવડાવે.