ડીસા41 મિનિટ પહેલા
બનાસકાંઠા સહિત સમગ્ર વિશ્વમાં આજે 22 માર્ચના રોજ વિશ્વ જળ દિવસ ઉજવવામાં આવે છે. જે અંતર્ગત આજે ડીસાના કંસારી ગામે પણ ધારાસભ્યના હસ્તે ખેત તલાવડીનું ખાતમુહૂર્ત કરી સ્વચ્છ પાણીના સંગ્રહની સાથે સાથે પાણીના મહત્વ વિશે પણ લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.

વર્ષ 1992માં રિયો ડી જાનેરોમાં પર્યાવરણ અને વિકાસ પર સંયુક્ત રાષ્ટ્રની પરિષદ યોજાઈ હતી, આ દિવસે વિશ્વ જળ દિવસનો વિચાર આવ્યો હતો. યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ એક ઠરાવ અપનાવ્યો, જેના દ્વારા દર વર્ષે 22 માર્ચને વિશ્વ જળ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો. આ દિવસ 1993થી ઉજવવામાં આવે છે. જે અંતર્ગત આજે ડીસા તાલુકાના કંસારી ગામે પણ ધારાસભ્ય પ્રવિણ માળીના હસ્તે ખેત તલાવડીનું ખાતમુહૂર્ત કરી જળસંચયના અભીયાનને આગળ ધપાવવામાં આવ્યું હતું. સાથે સાથે અત્યારે ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં પાણી ન સ્તર ખૂબ જ ઊંડા પહોંચ્યા છે અને પીવાલાયક પાણીનો સ્ત્રોત પણ ખૂબ જ ઝડપથી ખલાસ થવા તરફ જઈ રહ્યો છે. જેના કારણે લોકોને સિંચાઈ તો ઠીક પણ પીવાના પાણી ન ફાંફા પડી શકે છે.

ત્યારે ધારાસભ્ય પ્રવિણ માળીએ લોકોને જાગૃત કરતા જણાવ્યું હતું કે, આવી પરિસ્થિતિનો સામનો ન કરવો હોય તો દરેક વ્યક્તિએ એક એક ટીપા પાણીનો સંગ્રહ કરી તેને બચાવવું પડશે. જેમાં ખેડૂતો દ્વારા બનાવવામાં આવતી ખેત તલાવડીથી ખૂબ જ ફાયદો થાય શકે છે. આવી ખેત તલાવડીઓ થકી ખેડુત ચોમાસામાં વહી જતા લાખો લીટર પાણીનો સંગ્રહ કરી આખું વર્ષ પશુપાલન અને ખેતી માટે તે પાણીનો ઉપયોગ કરી શકે છે.
