નડિયાદએક કલાક પહેલા
- કૉપી લિંક

બોરસદ તાલુકાના ધનાવંશી ગામમાં આવેલા ઇંટોના ભઠ્ઠા પર મજુરી કામ કરતાં ઉત્તરપ્રદેશના શ્રમિક યુવકે કોઇ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાના પગલે સ્થળ પર પહોંચેલી ભાદરણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી લાશને પોસ્ટમોર્ટમ આર્થે મોકલી આપી હતી. જ્યારે આપઘાતનું કારણ જાણવા ભઠ્ઠા માલિક અને તેમના પરિવારજનોની પુછપરછ હાથ ધરી હતી.
બોરસદના ધનાવંશી ગામમાં આવેલા ભારત બ્રિક્સ નામના ઇંટોના ભઠ્ઠા પર પરપ્રાંતના મજુરો કામ કરી રહ્યાં છે. જેમાં છેલ્લા કેટલાક સમયથી મુળ ઉત્તરપ્રદેશના જશપાલ નેક્સ કશ્યમ (ઉ.વ.46) પણ મજુરી કામ કરતાં હતાં. દરમિયાનમાં 11મી માર્ચ,23ના રોજ રાત્રિના સમયે જશપાલ કશ્યપની લીમડાના ઝાડ પર દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ જોવા મળી હતી. જેના પગલે ભઠ્ઠા પર કામ કરતાં શ્રમિકો ચોંકી ગયાં હતાં. આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરતાં ભાદરણ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ઝાડ પરથી લાશને ઉતારી તેને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપી હતી. પ્રાથમિક તપાસમાં આ ઘટના આત્મહત્યાની જણાતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. જોકે, જશપાલે ક્યા કારણોસર આપઘાત કર્યો ? તે પ્રશ્ન તપાસનો વિષય બન્યો છે. હાલ પોલીસે તેની સાથે કામ કરતાં શ્રમિકો અને ભઠ્ઠા માલિકની સઘન પુછપરછ હાથ ધરી છે.