Monday, March 13, 2023

શહેરમાં વસતા નાગરિકોની લાઇફસ્ટાઇલને લવેબલ અને લીવેબલ બનાવશે: ઋષિકેશ પટેલ | Making the lifestyle of city-dwelling citizens lovable and livable: Rishikesh Patel | Times Of Ahmedabad

ગાંધીનગર37 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગુજરાતના નગરો અને મહાનગરો આજે શહેરી વિકાસના ઉત્કૃષ્ટ ઉદાહરણ બન્યા છે, તેમ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે. શહેરી વિસ્તારના લોકોનું જીવનધોરણ સુધારવા અને માળખાકીય સુવિધાઓ સાથે નવી સેવાઓનો વ્યાપ વધારવા માટે બજેટમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે 16,171 કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી અંગે વાત કરાઈ
મંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી અંગે વાત કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરીના અમલીકરણમાં અન્ય રાજ્યોની સરખામણીમાં અગ્ર સ્થાને છે. ગુજરાતમાં વર્ષ 2016માં એકત્રિત કરેલા આવાસની અંદાજીત માગ મુજબ 7.64 લાખ આવાસોના લક્ષ્યાંક સામે અત્યારસુધીમાં 8.61 લાખ જેટલા આવાસો મંજૂર કરાયા છે. જે પૈકી 7.46 લાખ જેટલા આવાસોની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. આ વર્ષના બજેટમાં રાજ્યના 1 લાખ જેટલા લોકોને આવાસ પૂરા પાડવાના લક્ષ્યાંક માટે 1066 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

શહેરી વિકાસ યોજના માટે રૂ.8086 કરોડની જોગવાઈ
ગુજરાત રાજ્યની સ્થાપનાના 50 વર્ષને ઉજવવા વર્ષ 2009થી અમલમાં મૂકાયેલી સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંગે વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના શહેરી વિસ્તારોની સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવતી આ મહત્ત્વપૂર્ણ યોજના માટે વર્ષ 2023-24ના બજેટમાં 8086 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. શહેરી વિસ્તારમાં પાણી પુરવઠાના કામ, ભૂગર્ભ ગટરના કામ, રસ્તા, ટ્રાફીક વ્યવસ્થા અને ફ્લાય ઓવરબ્રીજ જેવા આંતરમાળખાકીય વિકાસના કામ, ગાર્ડન, ટાઉનહોલ, તળાવના વિકાસ જેવા આગવી ઓળખના કામ તેમજ વોટર સપ્લાય જેવા વિવિધ કામો આ યોજના અંતર્ગત કરવામાં આવે છે.

ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત 185 કામો મંજૂર કરાયા
તેમણે વધુમાં ઉમેરતા જણાવ્યું હતું કે, અત્યારસુધીમાં આ યોજના હેઠળ આંતરમાળખાકીય વિકાસના કામો માટે મહાનગરપાલિકાઓમાં 1917 કરોડ અને નગરપાલિકાઓમાં 189.50 કરોડની ગ્રાન્ટ ચૂકવવામાં આવી છે. નગરપાલિકાઓ માટે પાણી પુરવઠા યોજના અંતર્ગત 1520 કરોડના કુલ 168 કામો મંજૂર કરાયા છે. આ ઉપરાંત નગરપાલિકાઓ માટે ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત પણ 5636 કરોડના કુલ 185 કામો મંજૂર કરવામાં આવ્યા છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના અસરકારક અમલવારીના પરિણામે રાજ્યના શહેરી વિસ્તારોમાં પાયાની જરૂરિયાતો વધુ સુદ્રઢ બનશે.

અમૃત મિશન હેઠળ આંતરમાળખાકીય વિકાસના 388 કામો પૂર્ણ
“અમૃત અને અમૃત 2.0 યોજનાના પરિણામે આજે રાજ્યમાં સ્વચ્છતા સાથે સુંદરતામાં વધારો થતો જોવા મળ્યો છે” તેમ કહેતા મંત્રી પટેલે ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકારની અમૃત યોજના હેઠળ શહેરોમાં પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા, વરસાદી પાણીના નિકાલ, તળાવોના વિકાસ અને પરિવહન વ્યવસ્થા માટેની કામગીરી કરવામાં આવે છે. અમૃત મિશન હેઠળ રાજ્યમાં આવા જ આંતરમાળખાકીય વિકાસ માટેના મંજૂર કરેલા 467 કામોમાંથી 4302 કરોડના 388 કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જ્યારે બાકીના કામો સત્વરે પૂર્ણ કરવા આ વર્ષના બજેટમાં 1454 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

સ્માર્ટ સીટી બનાવવાના પ્રયાસો હાથ ધરાયા
મંત્રીએ વધુમાં કેન્દ્ર સરકારના સ્માર્ટ સીટી મિશન અંગે વાત કરતા જણાવ્યું હતું કે, શહેરી નાગરિકોને ગુણવત્તાયુક્ત જીવન પ્રદાન કરતા સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દેશના 100 સ્માર્ટ શહેરોમાં ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને દાહોદ એમ કુલ 6 શહેરની પસંદગી કરવામાં આવી છે. આ શહેરોના વિકાસકાર્યો માટે કેન્દ્ર સરકારે 2500 કરોડ અને રાજ્ય સરકારે 1600 કરોડ એમ કુલ 4100 કરોડ જેટલી રકમની ફાળવણી કરીને સ્માર્ટ સીટી બનાવવાના પ્રયાસો હાથ ધર્યા છે. આ વર્ષના બજેટમાં પણ રાજ્ય સરકારે 547 કરોડની જોગવાઇ કરીને સ્માર્ટ શહેરોની મહત્ત્વની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે કટિબધ્ધતા દાખવી છે.

પરિવહન સેવાઓ અંગે પણ ચર્ચા કરાઈ
ગુજરાતના શહેરોમાં ઉપલબ્ધ પરિવહન સેવાઓ અંગે વાત કરતા ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું કે, ગુજરાતની પરિવહન સેવાઓમાં થઇ રહેલો અવિરત વિકાસ રાજ્યના સર્વાંગી વિકાસમાં મદદરૂપ બની રહ્યો છે. એસ.ટી.બસ અને બી.આર.ટી.એસ જેવી પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવા ઉપરાંત હવે મેટ્રો રેલનો સેવામાં વધારો થયો છે. અમદાવાદ મેટ્રોના પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ મેટ્રો રૂટને હાલમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ મેટ્રોનો સમગ્ર પ્રોજેકટ ડિસેમ્બર-2024 સુધીમાં પૂરો કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

ગિફ્ટ સીટી હેઠળ 6 હજાર કરોડના વ્યવહારો કરાયા
મંત્રી જણાવ્યું હતું કે, ગિફ્ટ સીટી કાર્યરત વિવિધ કંપનીઓ દ્વારા નવેમ્બર-2022 સુધીમાં અંદાજે 6 હજાર કરોડના નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા છે, જે અગાઉના વર્ષ કરતા બમણા છે. તાજેતરમાં જ ગિફ્ટ સીટી એરક્રાફ્ટ લીઝીંગ અને ફાઇનાન્સીંગ, શીપ લીઝિંગ અને ફાઇનાન્સીંગ, ગ્લોબલ ટ્રેઝરી જેવી નવી બિઝનેસ ગતિવિધિઓને મંજૂરી આપવામાં આવી છે. સાથે જ ગિફ્ટ સીટી IFSC એક્સચેન્જમાં 50 બિલિયન યુ.એસ. ડૉલરથી પણ વધારેના બોન્ડનું લિસ્ટીંગ થયું છે.

શહેરોના વિકાસ માટે વિવિધ જોગવાઈ કરાઈ
રાજ્ય સરકારે શહેરોના ટકાઉ, સર્વાગીણ અને બહુઆયામી વિકાસ માટે મહાનગરપાલિકાઓમાં આઇકોનિક બ્રીજ બનાવવા માટે કુલ 400 કરોડના આયોજન સામે 100 કરોડની જોગવાઇ તેમજ દીનદયાળ અંત્યોદય યોજના- નેશનલ લાઇવીહુડ મિશન હેઠળ 88 કરોડ, મહાનગરપાલિકાઓમાં લોકોને હરવા ફરવા માટે રમણીય સ્થળોનું નિર્માણ કરવા માટે નેચર પાર્કનું નિર્માણ કરવા 80 કરોડ, અગ્નિશમન વાહનો પૂરા પાડવા અને મોડલ ફાયર સ્ટેશન બનાવવા માટે 66 કરોડ, રાજ્યની મહાનગરપાલિકાઓમાં સિવિક સેન્ટરો ઉભા કરવા માટે 33 કરોડની જોગવાઇ કરી છે.

અન્ય સમાચારો પણ છે…