Friday, March 10, 2023

મેળાને લઈને મુખ્યમંત્રીના અધ્યસ્થાને બેઠક મળી, મેળાને લોકપ્રિય બનાવવાના નવિન આકર્ષણોના આયોજનને ઓપ આપ્યો | A meeting was held at the Chief Minister's office regarding the fair, and the planning of new attractions to popularize the fair was approved | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • A Meeting Was Held At The Chief Minister’s Office Regarding The Fair, And The Planning Of New Attractions To Popularize The Fair Was Approved

પોરબંદર24 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભારતના ઉત્તર-પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ માધવપુર ઘેડ મેળો આ વર્ષે રામનવમી 30 માર્ચથી 3 એપ્રિલ સુધી યોજાશે. આ મેળાના ભવ્ય આયોજનને ઓપ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજવામાં આવી હતી. ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય, ઉત્તર-પૂર્વીય રાજ્યોના વિકાસ માટેના મંત્રાલય તેમજ ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, પ્રવાસન વિભાગ તથા કુટિર ઉદ્યોગ વિભાગ દ્વારા આ મેળાનું આયોજન થાય છે.

‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના વિચારને સાકાર કરતો આ મેળો 2018થી રાષ્ટ્રીય કક્ષાના ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણના અરૂણાચલ પ્રદેશના ભીષ્માક નગરના રાજા ભીષ્મકની પુત્રી રૂકમણિ સાથે માધવપુરમાં થયેલા વિવાહની શ્રદ્ધા સ્મૃતિમાં આ મેળો યોજાતો હોય છે. ભગવાન શ્રીકૃષ્ણે માધવરાય મંદિરમાં રૂકમણિજી સાથે વિવાહ કરીને દ્વારકા પ્રસ્થાન કર્યુ. ત્યાં સુધીનો પાંચ દિવસનો સમગ્ર ઉત્સવ માધવપુરમાં સાંસ્કૃતિક મેળા અને બે પ્રદેશોની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના ઉદ્દેશથી સ્થાનિક સમુદાય ઉજવે છે. બારાતથી બિદાઇ સુધીની આ આનંદદાયક અને પવિત્ર લગ્નવિધિને પૂનઃતા દૃશ્ય કરવા પ્રતિવર્ષ આ મેળામાં હજારો ભક્તો શ્રદ્ધાપૂર્વક જોડાતા હોય છે. વર્ષ 2018થી આ મેળાના વ્યાપક ફલક પર આયોજનની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂઆત થઇ છે. 2022ના આ માધવપુર-ઘેડ મેળાનો શુભારંભ તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કરાવ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અને પ્રવાસન મંત્રી મુળુ બેરાની ઉપસ્થિતીમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકે 2023ના વર્ષમાં આ માધવપુર મેળામાં ‘અનેકતામાં એકતાની ભાવના ચરિતાર્થ કરવા’ વધુ નવા આકર્ષણો જોડવા અંગે ફળદાયી પરામર્શ કર્યો હતો. આ મેળામાં ગુજરાત સહિત 9 રાજ્યો અરૂણાાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મિઝોરામ, મેઘાલય, સિક્કીમ, ત્રિપુરા અને નાગાલેન્ડ સહભાગી થવાના છે. આ મેળાના ઉદઘાટન માટે મુખ્યમંત્રી દ્વારા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીને આમંત્રણ પાઠવવામાં આવશે. ઉપરાંત સહભાગી રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્યપાલો તેમજ કેન્દ્ર સરકારના મંત્રીઓને પણ ગુજરાત સરકાર મેળામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવાની છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મેળો વધુ લોકભોગ્ય, આકર્ષક બને તે માટે રોજેરોજ નવિનતાસભર કાર્યક્રમો સાથે યોજવા માર્ગદર્શન આપ્યું હતું. આ સંદર્ભ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે, સાંસ્કૃતિક પ્રસ્તુતિ દ્વારા ગુજરાત અને ઉત્તર પૂર્વીય રાજ્યોનો સમન્વય, હસ્તકલા કારીગરોના હસ્તકલા મેળા દ્વારા સમન્વય તેમજ રમત-ગમત દ્વારા સમન્વયની એમ ત્રણ વિસ્તૃત થીમ સાથે આ વર્ષનો મેળો યોજવામાં આવશે. ઐતિહાસિક સુસંગતતા સાથે પારંપારિક નૃત્યોને કેન્દ્રમાં રાખીને ગુજરાત અને ઉત્તર-પૂર્વીય રાજ્યોના કલાકારો, કલાસંસ્થાઓ સાંસ્કૃતિક પ્રસ્તુતિ કરશે. એટલું જ નહીં, ભગવાન શ્રીકૃષ્ણ પર મલ્ટિમિડિયા શો પણ કરવામાં આવશે.

ઉત્તર પૂર્વીય રાજ્યોના હસ્તકલા કારીગરોની વિવિધ ચીજવસ્તુઓ, વાનગી તેમના પ્રદેશોના ઓર્ગનિક ફૂડને ગુજરાતમાં વધુ લોકપ્રિય બનાવવા વોકલ ફોર લોકલ પહેલને પ્રોત્સાહન આપતાં તારીખ 18 માર્ચથી 30 માર્ચ સુધીના દિવસોમાં વડોદરા, અમદાવાદ અને રાજકોટ ખાતે પ્રાદેશિક હસ્તકલા મેળા યોજવામાં આવશે. આ હેતુસર રાજ્યના કુટિરઉદ્યોગ વિભાગને કાર્ય આયોજનની જવાબદારી સોંપવામાં આવી છે.

માધવપુર-ઘેડના દરિયાકિનારે આ વર્ષે મેળા દરમિયાન ઉત્તર પૂર્વીય રાજ્યો અને ગુજરાતની પરંપરાગત રમતો તથા દરિયાકાંઠાની રમતો-બીચ સ્પોર્ટ્સનું આયોજન પ્રથમવાર કરવામાં આવશે. આ રમતોમાં બીચ વોલીબોલ, બીચ ફૂટબોલ, 100 મીટર બીચદોડ, બીચ હેન્ડબોલ અને નારિયેળ ફેંક જેવી રમતો રમાડવામાં આવશે. દરિયાકાંઠે રેતી શિલ્પની વિવિધ કૃતિઓ બનાવવાનું પણ આ મેળાના ભાગરૂપે આયોજન કરવામાં આવશે તથા ઉત્તર પૂર્વીય રાજ્યોના વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ એક્સચેન્જ કાર્યક્રમ અન્વયે આ મેળામાં સહભાગી કરવાનું પણ કાર્ય આયોજન છે.

ભગવાન શ્રીકૃષ્ણ રુકમણિ સાથે વિવાહ કરીને બારાત લઈને દ્વારિકા પહોંચ્યા તે પૌરાણિક મહાત્મ્યને આ વર્ષના મેળામાં પૂનઃઉજાગર કરતાં દ્વારિકામાં રુકમણિનું સ્વાગત કરવાના લોકોત્સવ કાર્યક્રમો મેળાના ઉપલક્ષ્યમાં પ્રથમવાર યોજાશે. એટલું જ નહીં, રાજ્યના બધા જ કૃષ્ણમંદિરોને મેળાના દિવસો દરમિયાન શણગારવામાં આવશે. માધવપુરનો મેળો રાજ્યભરના લોકો તેમજ ઉત્તર પૂર્વીય રાજ્યોના લોકો પણ માણી શકે તે માટે સંબંધિત રાજ્યોમાં જીવંત પ્રસારણ માટે પણ જરૂરી સંકલન સાધવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કૃષ્ણભક્તો, વૈષ્ણવ સંપ્રદાય સહિતના સૌ માટે આ મેળામાં પરંપરાગત આસ્થા-શ્રદ્ધાનું પ્લેટફોર્મ સમયાનુકુલ નવતર આયોજનો સાથે બને તે માટે રાજ્ય સરકારના સંબંધિત વિભાગોને સુદ્રઢ આયોજન માટે આ બેઠકમાં દિશાનિર્દેશો આપ્યા હતા.

મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી તેમજ શિક્ષણ, પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સહિતના વિભાગોના અગ્ર સચિવો અને ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં સહભાગી થયા હતા.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: