- Gujarati News
- Local
- Gujarat
- Corona Raised Its Head Again In The State, Who Is The New Mayor Of Vadodara? Gujarati Literature Suffered A Great Loss
9 મિનિટ પહેલા
વડોદરાના નવા મેયર નિલેશ રાઠોડ
વડોદરાના નવા મેયર તરીકે નિલેશ રાઠોડના નામની જાહેરાત થઈ છે. 6 મહિના માટે તેઓ મેયરનો પદભાર સંભાળશે. કેયૂર રોકડિયા ધારાસભ્ય તરીકે ચૂંટાયા હોવાથી તેમણે મેયર પદેથી રાજીનામું આપ્યું હતું.ધારાસભ્ય બન્યા બાદ કેયુર રોકડિયાએ વડોદરાના મેયર પદેથી રાજીનામું આપ્યું હતું. મળતી જાણકારી અનુસાર, ભાજપમાં એક વ્યક્તિ એક હોદ્દાના નિયમના કારણે કેયુર રોકડિયાએ મેયર પદેથી રાજીનામું આપ્યું હતુ. ગઇકાલે ધારાસભ્ય દર્શિતા શાહે પણ રાજકોટ ડેપ્યુટી મેયર પદેથી રાજીનામું આપ્યું હતું. કેયુર રોકડિયા સયાજીગંજ બેઠક પર ધારાસભ્ય છે. કેયુર રોકડીયાએ મેયર તરીકે માર્ચ 2021માં પદભાર સંભાળ્યો હતો. રાજ્યના 18 જેટલા ધારાસભ્યો પોતે કે પરિવારના સભ્યો કોઈ પદ સંગઠનમાં હોય તો તેમને એક પદ વાળા નિર્ણયમાં સમાવિષ્ટ કરવામાં આવશે.

સનાથલ બ્રિજનું કેન્દ્રીય ગૃહમંત્રી અને CMના હસ્તે લોકાર્પણ
અમદાવાદીઓને આજે વધુ એક બ્રિજની ભેટ મળી છે. અમદાવાદ શહેરના રિંગ રોડના સનાથલ સર્કલ પર બનાવવામાં આવેલા ઓવરબ્રિજનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. સનાથલ બ્રિજનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ લોકાર્પણ કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી જોડાયા હતા. આ આવરબ્રિજના કારણે સૌરાષ્ટ્રમાં જતા અને સૌરાષ્ટ્રથી અમદાવાદ આવતા લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે અને લોકોનો સમય પણ બચશે. આ ઉપરાંત બોપલ, ગાંધીનગરથી સનાથલ થઈ રિંગ રોડ જતા લોકોને પણ રાહત મળશે. અમદાવાદથી બાવળા, મેટોડા જતા-આવતા લોકોને ટ્રાફિકમાંથી રાહત મળશે. ચાંગોદર GIDC જતા-આવતા લોકોને ટ્રાફિકથી મુક્તિ મળશે. આ બ્રિજના કારણે રિંગ રોડ પર ટ્રાફિકનું ભારણ પણ ઘટશે.

સુરતમાં કોરોનાથી એક મહિલાનું મોત
કોરોનાએ ગુજરાતમાં ફરી ફરી માથું ઉચક્યું છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નવા 30 કેસ નોંધાયા હતા. જ્યારે સુરતમાં એક દર્દીનું મોત પણ નિપજ્યું છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધાને કોરોનાના લક્ષણો બાદ 4 માર્ચે સ્મીમેરમાં દાખલ કરાયા હતા. જ્યાં બુધવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ગુરુવારે સવારે મહિલાનું મોત નિપજ્યું હતું. તેમને ડાયાબિટીસ, પ્રેસર અને કિડનીની જૂની બીમારી હતી. તેમના પરિવારના 7 સભ્ય અને સંપર્કમાં આવેલા 15 વ્યક્તિના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. વૃદ્ધાને અગાઉ કોવિડ થયો ન હતો તથા વેક્સીન પણ લીધી ન હતી.

સીએના વિદ્યાર્થીને એબ્યુલન્સ ચાલકે મારી ટક્કર
સુરતના સરથાણા વિસ્તારમાં શ્વાસ અધ્ધર કરી દેતો અકસ્માતનો સીસીટીવી સામે આવ્યો છે. જેમાં સીએના વિદ્યાર્થીને બીઆરટીએસ રૂટ પર એમ્બ્યુલન્સના ચાલકે અડફેટે લઈ ઉડાવ્યો હતો. 5 ફૂટ દૂર ઉડી ને પડ્યા બાદ પ્રાણપંખેરું ઉડી ગયું હતું.સરથાણા જકાતનાકા શ્યામધામ મંદિરની પાછળ શિવાય હાઈટ્સ ખાતે રહેતો અનિલ રાજેશ ગોધાણી(21)અમદાવાદ ખાતે સીએનો અભ્યાસ કરતો હતો અને છેલ્લા 3 માસથી કાકા કુમનભાઇના ઘરે રહેતો હતો. બુધવારે અનિલ તેની ફોઈના ઘરે હોળી રમવા ગયો હતો.સિમાડાનાકા ઉમંગ હાઈટ્સની સામે બીઆરટીએસ રોડ પર એમ્બ્યુલન્સનો ચાલક અડફેટમાં લઈ નાસી છુટ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જપા પામી છે. ગંભીર રીતે ઘવાયેલા અનિલને સારવાર ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા તેનું મોત નીપજ્યું હતું. સરથાણા પોલીસે ચાલક સામે ગુનો નોંધ્યો છે.

ભયંકર અકસ્માતના સીસીટીવી સામે આવ્યા
પાલનપુર તાલુકાના ગઢ ગામે ધુળેટીના દિવસે કેટલાક મિત્રો ઉજવણી કરી રહ્યા હતા. આ સમય દરમિયાન એક ઇકો ચાલકે ગાડી રિવર્સ મારતી વખતે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા પાછળ ઉભેલા એક યુવકને કચડી નાખ્યો હતો. ઈકો ગાડીના ચાલકે યુવકને ટક્કર માર્યા બાદ ગાડી ભોય તળિયામાં ઉતરી ગઈ હતી. જોકે, આ અકસ્માતમાં શોપિંગ સ્ટોર પાસે ઉભેલા કેટલાક શખ્સોનો આબાદ બચાવ થયો હતો. જ્યારે ઇકો ગાડીની ટક્કરથી એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેને સ્થાનિકોએ સારવાર અર્થ નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જે બાદ વધુ સારવાર માટે પાલનપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યા સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. આ અકસ્માત બાદ ઈકો ગાડીનો ચાલક ફરાર થઈ ગયો હતો. જેથી સમગ્ર મામલે ગઢ પોલીસે ઇકો ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી.

મધ્યાહન ભોજનની ગુણવત્તાને લઈ સવાલો ઉઠ્યા
વલસાડની અબ્રામા પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનમાંથી જીવાત નીકળી હોવાની ફરિયાદ ઉઠતા તંત્રએ તપાસ હાથ ધરી છે. મધ્યાહન ભોજનમાં ધનેડાં અને માખી મળી આવી હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. હાલ તંત્ર દ્વારા મામલે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોના નિવેદન લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
અબ્રામા પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનમાં જીવાત હોવાની માહિતી મળતા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા સમગ્ર મામલાની તાપસ માટે મામલતાદરને શાળા પર મોકલ્યા હતા. મામલતદાર દ્વારા શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોના નિવેદન લેવામાં આવી રહ્યા છે.
અબ્રામા પ્રાથમિક શાળાના આચાર્ય નિયંતાબેન પટેલે કહ્યું હતું કે, ભોજનમાં જીવાત હોવાની જાણ થતા અને મધ્યાહન ભોજનના સંચાલકને સૂચના આપી હતી. આ મામલે અમે મામલતદારને પણ જાણ કરી હતી.આ મામલે વાલીઓ દ્વારા પણ કડક કાર્યવાહીની માગ કરવામાં આવી છે.

ધીરૂબેન પટેલનું થયું અવસાન
ગુજરાતી સાહિત્યના પ્રથમ હરોળના સર્જક ધીરુબહેન પટેલે આજે આપણી વચ્ચેથી વિદાય લીધી છે. લાંબું આયુષ્ય ભોગવ્યું અને માતબર સર્જન કર્યું. આખરી શ્વાસ સુધી એમનામાં લખવાની તમન્ના અકબંધ રહી.ધીરુબહેનના જીવનમાં એક ડોકિયું કરીએ તો વડોદરાના ધર્મજમાં તારીખ 29 મે,1926ના રોજ એમનો જન્મ થયો હતો. માતા ગંગાબહેન સંસ્કૃત અને અંગ્રેજીના પણ પતિના રંગે અભ્યાસી બન્યાં. સત્યાગ્રહ ચળવળમાં પણ ગંગાબહેને ભાગ લીધો હતો. લેખિકા પણ હતાં ગંગાબહેન. ધીરુબહેનના પિતા અંગ્રેજી અને ગુજરાતી પત્રકારત્વના ક્ષેત્રે સક્રિય હતા.
