Monday, March 13, 2023

દ્વારકા-જામનગર હાઈવે પર ક્રેટા તથા વેગનઆર કાર વચ્ચે ટક્કરમાં વઢવાણના આધેડનું મોત, છકડો રીક્ષા પલટી જતા મહિલાનું મૃત્યુ | A middle-aged man died in a collision between a Creta and a WagonR car on the Dwarka-Jamnagar highway, a woman died when the rickshaw overturned. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • A Middle aged Man Died In A Collision Between A Creta And A WagonR Car On The Dwarka Jamnagar Highway, A Woman Died When The Rickshaw Overturned.

દ્વારકા ખંભાળિયા42 મિનિટ પહેલા

ખંભાળિયા નજીકના દ્વારકા-જામનગર હાઈવે પર અત્રેથી આશરે બે કિલોમીટર દૂર મઢુલી હોટલ સામેથી રાત્રિના એકાદ વાગ્યાના સમયે દ્વારકા દર્શનાર્થે જતા વેગનઆર કારમાં સવાર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે રહેતા પ્રવીણભાઈ ઈશ્વરભાઇ દુધરેજીયા નામના 55 વર્ષના આધેડની આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. 37 જે. 2285 નંબરની ક્રેટા કારના ચાલકે ધડાકાભેર અકસ્માત સર્જતા વેગનઆર કારમાં જઈ રહેલા પ્રવીણભાઈ દુધરેજીયાને અહીંની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર ખસેડવામાં આવ્યા હતા. બાદ ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

આ અકસ્માતમાં વેગનઆર કારમાં જઈ રહેલા તેમના અન્ય મિત્રોને પણ નાની-મોટી ઈજાઓ થતાં હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. આ સમગ્ર બનાવવા અંગે મૃતકના નાના ભાઈ દશરથભાઈ ઈશ્વરભાઈ દુધરેજીયા (ઉ.વ. 50, રહે. વઢવાણ)ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે ક્રેટા કારના ચાલક સામે આઈ.પી.સી. કલમ 304 (અ), 279, 337, 338 તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ખંભાળિયા નજીક છકડો રીક્ષા પલટી જતા મહિલાનું મૃત્યુ: અન્ય મુસાફરો ઇજાગ્રસ્ત…
ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામે રહેતા પુરીબેન ઈબ્રાહીમભાઇ ભટ્ટી નામના આશરે 40 વર્ષના મહિલા આજરોજ સવારે સાડા આઠ વાગ્યે છકડા રિક્ષામાં બેસી અને જઈ રહ્યા હતા. ત્યારે અત્રેથી આશરે સાત કિલોમીટર દૂર લાલપુર-બજાણા રોડ પર કંડોરણા ગામના પાટીયા પાસે પહોંચતા આ છકડા રીક્ષાના ચાલક હનીફ હાજીભાઈ ભટ્ટી (રહે. પીર લાખાસર) એ પોતાનો છકડા રીક્ષો પૂરઝડપે એને બેફિકરાઈપૂર્વક ચલાવતા આ રીક્ષા આડે કૂતરું ઉતરતા રીક્ષા છકડો પલટી ખાઈ ગયો હતો.

આ અકસ્માતમાં રિક્ષામાં જઈ રહેલા પૂરીબેનને ગંભીર હાલતમાં સાથે અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અકસ્માતમાં અન્ય પાંચ જેટલા મુસાફરોને પણ નાની-મોટી ઇજાઓ થવા પામી હતી.

આ સમગ્ર બનાવવા અંગે મૃતકના પતિ ઈબ્રાહીમ હમીરભાઈ ભટ્ટી (ઉ.વ. 45, રહે. પીર લાખાસર) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે રિક્ષાના ચાલક હનીફ હાજીભાઈ સામે આઈ.પી.સી. કલમ 304 (અ), 279, 338 તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…