સાબરકાંઠા (હિંમતનગર)28 મિનિટ પહેલા
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના નવા ગામ ધુળેટીના દિવસે પરંપરા મુજબ આખું ગામ ચાલતું ઢોલ નગારાના નાદ સાથે બળિયાદેવના ઉંબરે પહોંચે છે. દંપતીના પ્રથમ સંતાનની બાબરી અહિયાં ધુળેટીના દિવસે ઉતારે છે. આમ ધુળેટી અનોખી પરંપરા જોવા મળે છે. 60થી વધુ બાળકોની બાબરી ઉતારવામાં આવી હતી.

હિંમતનગર પાસે નવા ગામમાં જ્યાં ચાલતી આવતી પરંપરા મુજબ ધુળેટીના દિવસે સવારે નવા ગામના ગ્રામજનો શક્તિમાતાજીના મંદિરે એકઠા થયા બાદ ચાલતા વાજતે ગાજતે ઢોલ નગારા સાથે ગામથી અડધો કિમી દુર આવેલા બળિયાદેવ મંદિર ચાલતા પહોંચે છે. જેમાં સમસ્ત ગ્રામજનોમાં વડીલો, ભુલકાઓ, યુવાન યુવતીઓ હોય છે.

તો રીતિરિવાજ મુજબ દંપતી પ્રથમ સંતાન ઠોઠાના પ્રસાદ સાથે બાબરી ઉતારવા માટે મંદિરે પહોંચે છે. જ્યાં બળિયાદેવનું પૂજન અર્ચન કર્યા બાદ બાબરી ઉતારે છે. તો કેટલાક શ્રધાળુઓ દ્વારા પ્રસાદમાં બળિયાદેવને ઘઉંના ટોઠા, મોતીચૂરના લાડુ, ખજૂર ચઢાવે છે. વર્ષોની ચાલતી પરંપરા આજે પણ યથાવત છે. બળિયાદેવના મંદિરે લોકો નૈવિધ પણ ચઢાવે છે.

આ અંગે ગામના વિરમસિંહ ઝાલા અને દલપતસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ગામમાં ધૂળેટીના દિવસે ગામના લોકો પરંપરા મુજબ સવારે ચાલતા બળિયાદેવના મંદિરે જાય છે. ત્યા બાબરી ઉતારે છે પછી ધૂળેટી પર્વની ઉજવણી કરે છે. આજે બળિયાદેવના મંદિરે ગામના 60થી વધુ બાળકોની બાબરી ઉતારવામાં આવી હતી. ગામમાં હોળી ધુળેટી પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે.








