Thursday, March 23, 2023

પાટણના હિંગળાચાચર ચોકમાં કોંગ્રેસ-NSUI દ્વારા વડાપ્રધાનના પૂતળા દહનનો કાર્યક્રમ યોજ્યો, માત્ર આઠ કાર્યકરો જ ઉપસ્થિત રહ્યા | At Hinglachachar Chowk in Patan, Congress-NSUI held a program of effigy burning of Prime Minister, only eight workers were present. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • At Hinglachachar Chowk In Patan, Congress NSUI Held A Program Of Effigy Burning Of Prime Minister, Only Eight Workers Were Present.

પાટણએક કલાક પહેલા

  • કૉપી લિંક

કોંગ્રેસના રાષ્ટ્રીય યુવા નેતા રાહુલ ગાંધીને આજે સુરતની કોર્ટે માનહાની કેસમાં દોષિત ઠેરવીને 2 વર્ષની સજાનો હુકમ કર્યો છે. ત્યારે પાટણમાં કોંગ્રેસ અને NSUIએ વિરોધ નોંધાવી ભારતીય જનતા પાર્ટીના ઈશારે ખોટા કેસો કરીને સુરત ખાતે રાહુલ ગાંધીને દોષિત ઠેરવવામાં આવ્યાં હોવાના આક્ષેપ કરીને વડાપ્રધાનના પૂતળાના દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પાટણ શહેર કોંગ્રેસ સમિતિ અને એન.એસ.યુ.આઈ દ્વારા ભાજપ સરકારના વિરોધમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂતળા દહનનો કાર્યક્રમ ગુરુવારે બપોરે શહેરના હિંગળાચાચર ચોકમાં આયોજિત કરવામાં આવ્યો હતો.

શહેરના હિંગળાજ સાથે ચોકમાં આયોજિત કરાયેલા આ કાર્યક્રમમાં ફક્ત આઠ જેટલા જ કોંગ્રેસના આગેવાનો અને એન.એસ.યુ.આઈના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેતા પાટણના નગરજનો સહિત રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ ટોક ઓફ ધ ટાઉન બની હતી. પાટણ શહેર કોંગ્રેસની કમનસીબી ગણો કે કાર્યકર્તાઓની અંદરો અંદરની હુંસાતુસી. આ કાર્યક્રમમાં ફક્ત આઠ જ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને એન એસ યુ આઈના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

પાટણ શહેર ના હિંગળા ચાચર ચોક ખાતે ભાજપ સરકારના વિરોધમાં વિરોધ પ્રદર્શન અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂતળા દહન કાર્યક્રમમાં પાટણ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરત ભાટિયા,એન એસ યુ આઈ ના પ્રમુખ દાદુજી ઠાકોર સહિત ફક્ત 8 કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: