Friday, March 10, 2023

ચોટીલા-થાન રોડ પર પુલ પરથી કાર નીચે ખાબકતા એકનું મોત, એક ઈજાગ્રસ્ત | One killed, one injured after car fell off bridge on Chotila-Than road | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર39 મિનિટ પહેલા

સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. આજે થાન-ચોટીલા રોડ પર આવેલસા એક પુલ પરથી કાર ખાબકતા કારમાં સવાર એક વ્યકિતનું મોત નિપજ્યું હતું. જ્યારે એક વ્યકિત ઘાયલ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના થાન ચોટીલા રોડ ઉપર આવેલા અવલિયા ઠાકરના મંદિર પાસે પુલ ઉપરથી કાર પસાર થઈ રહી હતી. ત્યારે કારના ચાલકે પોતાના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા આ કાર ધડાકાભેર પુલ ઉપરથી નીચે ખાબકી હતી. કારમાં સવાર એક વ્યકિતનું મોત નિપજ્યું હતું જ્યારે એક ઈજાગ્રસ્ત બનતા 108 એમ્બ્યુલન્સ મારફતે ચોટીલા સરકારી હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાંથી વધુ સારવારની જરૂરિયાત જણાવતા હાલમાં રાજકોટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. ત્યારે ચોટીલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને હાલમાં અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: