પંચમહાલ (ગોધરા)એક કલાક પહેલા
ગોધરા શહેરના પટેલવાડા વિસ્તારમાં આશરે 500 વર્ષ જૂનુ મહાપ્રભુજી બેઠક મંદિર આવેલું છે. જ્યાંથી એસઆરપી પોલીસનો બંદોબસ્ત હટાવી લેવામાં આવતા ભારત સહિત વિદેશ માંથી દર્શન કરવા માટે આવતા ભક્તો સુરક્ષાની બાબતે અસલામતી અનુભવી રહ્યાં છે.

ગોધરા શહેરના પટેલવાડા વિસ્તારમાં આચાર્ય મહાપ્રભુજી રાણા વ્યાસજી વાળી બેઠક મંદિર આવેલું છે. જે આશરે 500 વર્ષ જૂનું છે. આ બેઠક મંદિરનું નવનિર્માણ 50 વર્ષ અગાઉ કરવામાં આવ્યું હતું. બેઠક મંદિર ઐતિહાસિક હોવાથી અહીં મોટી સંખ્યામાં વૈષ્ણવો અને હિન્દુઓ દર્શન કરવા માટે આવતા હોવાના કારણે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આ બેઠક મંદિર વિસ્તારમાં ભૂતકાળમાં કોમી રમખાણો થતા હોવાથી સંવેદનશીલ વિસ્તાર ગણીને મંદિરમાં હથિયાર ધારી એસઆરપી પોલીસનો કાયમી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

મંદિરની સુરક્ષા માટે 24 કલાક પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. વર્ષો જુનું બેઠક મંદિર હોવાથી દેશભરના વૈષ્ણવો બેઠક મંદિરના દર્શન કરવા માટે આવતા હોય છે. આ બેઠક મંદિર પરથી એસઆરપી પોલીસ બંદોબસ્ત અચાનક હટાવી દેવામાં આવતા વૈષ્ણવો અસલામતી અનુભવી રહ્યાં છે.

મહાપ્રભુજી બેઠક મંદિરના ટ્રસ્ટ દ્વારા ગોધરાના ધારાસભ્ય કલેક્ટર તથા રાજ્યના ગૃહમંત્રીને લેખિત રજૂઆત કરી બેઠક મંદિર જે વિસ્તારમાં આવેલો છે. તેનો ભૂતકાળનો ઇતિહાસ જોતા અતિ સંવેદનશીલ વિસ્તાર ગણાય છે. જેથી એસઆરપી બંદોબસ્ત હટાવી લેવામાં આવ્યો છે. તેને ફરીથી કાર્યરત કરી કાયમી ધોરણે ચાલુ રાખવામાં આવે તેવી વિનંતી કરી હતી. ગોધરા ધારાસભ્ય પણ જિલ્લા પોલીસવડાને બેઠક મંદિરમાં પૂર્ણ પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવે તેવી ભલામણ કરી છે.

ગોધરા શહેરના પટેલવાડા વિસ્તારમાં આચાર્ય મહાપ્રભુજી રાણા વ્યાસજી વાળી બેઠક મંદિરમાં ભારત સહિત અમેરિકાથી મોટી સંખ્યામાં ભક્તો જારીજી ભરવા માટે મંદિરે આવતા હોય છે. ત્યારે આ વિસ્તાર અતિ સંવેદનશીલ હોવાના કારણે ભારતભર માંથી આવતા ભક્તો અસલામતી અનુભવી રહ્યાં છે. માટે ભારત સહિત વિદેશ માંથી આવતા ભક્તો અસલામતી ન અનુભવે તે માટે તાત્કાલિક ધોરણે એસઆરપી બંદોબસ્ત કાર્યરત કરવામાં આવે તે માટે વૈષ્ણવો માગ કરી રહ્યાં છે.