પોરબંદર18 મિનિટ પહેલા
- કૉપી લિંક

ગુજરાત રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ તથા રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા માધવપુર ખાતે તા. 30 માર્ચથી પાંચ દિવસીય લોકમેળો યોજનાર છે. આ લોક મેળામાં ગુજરાત સહિત અલગ અલગ રાજ્યોમાંથી કલાકારો તથા પ્રવાસીઓ આવતા હોય છે. કૃષ્ણ રુકમણીજીના વિવાહ માટે જાણીતો આ લોક મેળામાં મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી નાના મોટા વેપારીઓ પણ સ્ટોલ રાખીને ચીજ વસ્તુઓનું વેચાણ કરવા આવતા હોય છે.

ત્યારે પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મનોરંજન/ચકડોળ વિભાગનો પ્લોટ તથા ખાણીપીણી તથા અન્ય હસ્તકલા સ્ટોલની જાહેર હરાજી યોજાનાર છે. જેમાં મનોરંજન/ચકડોળ વિભાગ પ્લોટની જાહેર હરાજીની તા.23 માર્ચ બપોરે એક કલાકે બ્રહ્મ સમાજની વાડી માધવપુર ખાતે છે. અપસેટ પ્રાઇઝ 5,25,000 છે. હરાજી શરૂ કર્યા પહેલા 51,000 રકમ ડિપોઝિટ જમા કરવાની રહેશે.

આ ઉપરાંત ખાણીપીણી તથા અન્ય ક્રાફ્ટ સ્ટોલની અપસેટ પ્રાઇઝ 10,000 (દસ હજાર) તથા જાહેર હરાજી તા.27 માર્ચના રોજ બપોરે 1 કલાકે મેળા ગ્રાઉન્ડ માધવપુર ખાતે યોજાશે. વધુ જાણકારી માટે તાલુકા વિકાસ અધિકારી પોરબંદર મો.નં. 9427536308 તથા તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયત કચેરી માધવપુર મો. 99259 64868 પર સંપર્ક કરવાનો રહેશે.
