- Gujarati News
- Local
- Gujarat
- Surendranagar
- Questions Were Raised When A Good Quality Road Was Demolished In Chotila And A New CC Road Was Started, Information About The Road Was Sought Under RTI.
સુરેન્દ્રનગર42 મિનિટ પહેલા
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં સારી ગુણવતાનો સીસી રોડ તોડી નવો સીસી રોડ બાવવાનું શરૂ કરતા આપ અને શહેરીજનો દ્વારા કામની ગુણવતાને લઈ સવાલો ઉઠાવવામાં આવ્યા છે.નવા બની રહેલા સીસી રોડમાં લોખંડના સળિયાનો ઉપયોગ ન કરાતા ભ્રષ્ટાચારની આશંકા વ્યકત કરવામાં આવી છે. રસ્તાની માહિતી મેળવવા માટે આરટીઆઈ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ચોટીલામાં બસ સ્ટેશન તરફનો રોડ સારી ગુણવત્તાવાળો સીસી રોડ બનાવેલો હતો. પરંતુ કોઈ કારણોસર આ રોડ તોડીને તેના સ્થાને નવો સળીયા વગરનો સીસી રોડ બનાવવાનું કામ નગર પાલિક દ્વારા અચાનક હાથ ધરાયું છે. આ સમગ્ર મામલે ભ્રષ્ટાચારની આશંકા ઊઠતાં શહેરના જાગૃત નાગરિકો, આપના કાર્યકરો તેમજ પાલિકાના પૂર્વ પ્રમુખે આરટીઆઇ કરીને માહિતી માગતા ચોટીલાના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

જ્યારે બીજી તરફ ચોટીલામાં ફરી હાથ ધરાયેલા પાણીની લાઈનના કામને લઈને મુખ્ય માર્ગ પર ધૂળની ડમરીઓ અને કાંકરી ઉડી રહી છે. જેને લઈને વાહનચાલકો અને આવતા જતા લોકોને ભારે પરેશાની ભોગવવી પડી રહી છે. તો રોડની સાઈડમાં દુકાન ધરાવતા વેપારીઓને પણ વ્યાપક પરેશાની થઈ રહી છે. જો કે, વેપારીઓ કોઈ કારણસર ખુલ્લીને બોલવાનું ટાળી રહ્યા છે.

જો કે ચોટીલા કોંગ્રેસના નેતાઓ આ મુદ્દે કેમ ચુપ છે ? તેને લઈને પણ ચોટીલા નગરમાં સવાલ થઈ રહ્યા છે. જ્યારે બીજીબાજુ ચોટીલા આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડાએ પોતાના ચોટીલા સીસીરોડના નબળા થઇ રહેલા કામ અંગે ફેસબુક પેજ ઉપર ચાબખા સાથેના સવાલ કરીને વાયરલ પણ કરતા તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી છે.