- Gujarati News
- Local
- Gujarat
- Panchmahal
- ‘Shabdagini’ Women Poets Convention Held By Saptak Sanstha At Kalarav School, Spiritual Awareness Month Program Organized At Elohim Methodist Church
પંચમહાલ (ગોધરા)16 મિનિટ પહેલા
- કૉપી લિંક

સપ્તક ગોધરા પંચમહાલ જિલ્લામાં સંસ્કૃતિ તથા વિવિધ કલા ક્ષેત્રે કાર્યરત સંસ્થા છે. સંસ્થા દ્વારા જિલ્લાના પ્રજાજનોમાં રહેલા વિવિધ કૌશલ્ય અને કલા નીખરી આવે તેવા હેતુથી અનેકવિધ સ્પર્ધા તથા સંગીત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે સપ્તક સંસ્થા દ્વારા “શબ્દાગીની” મહિલા કવિ સંમેલન કલરવ સ્કુલ ખાતે યોજાયો હતો.

મહિલા કવિ સંમેલનમાં ગાયત્રીબેન ભટ્ટ, મોનાબેન મેઘાણી, હેમાયુની કોટડીયા, ડૉ.પ્રશાખા શુક્લા, જીબીશા પરમાર, ઝલક પટેલ, ઉર્વષા બારડ, ઉર્વશી ચાવડા કવિયિત્રી ગણ ઉપસ્થિત રહ્યા હતા અને સૌ શ્રોતાઓને વિવિધ રચનાઓ રજુ કરી મંત્રમુગ્ધ કર્યા હતા. આજના સમયમાં મહિલાઓ વિવિધ ક્ષેત્રે પોતાનું યોગદાન આપી રહી છે. ત્યારે મહિલાઓનું સન્માન થાય અને સમાજમાં સ્ત્રી એક આગવી પોતાની પ્રતિભા ઓળખ ઉભી કરે તે પણ આવશ્યક છે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કવિયત્રીઓને ડૉ.સુજાત વલીના વરદ હસ્તે મોમેન્ટોઝ આપી સન્માન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે ડૉ.વલી દ્વારા ગોધરાના બાળ સાહિત્યકાર કીહાનખાન પઠાણનું પણ સન્માન કરાયું હતુ. કાર્યક્રમનું આયોજન સપ્તક સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું, જેનું સમગ્ર સંચાલન વૈદેહીબેન દાણીએ કર્યું હતું તથા સંકલન મોહસીન મીર દ્વારા કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમને સફળ બનાવા માટે સૌ સપ્તક સંસ્થાના સભ્યોનો સહયોગ રહ્યો હતો.ઉલ્લેખનીય છે કે, સપ્તક સંસ્થા દ્વારા વર્ષ દરમ્યાન નાટ્ય કાર્યક્રમ, ચિત્ર સ્પર્ધા, ગાયન સ્પર્ધા, સંગીત સંધ્યા જેવા અનેકવિધ કાર્યક્રમો યોજાતા હોય છે.

ખ્રિસ્તી સમુદાય દ્વારા આત્મિક જાગૃતિ માસનું આયોજન
ગોધરા એલોહીમ મેથોડિસ્ટ ચર્ચમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા આત્મિક જાગૃતિ માસના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. આત્મિક જાગૃતિ માસના પ્રોગ્રામ અંતર્ગત ટોટલ 14 મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં દરેક ખ્રિસ્તી સમુદાય લોકોને ભગવાન ઈસુ ખ્રિસ્ત ઉપદેશો અનુસરી જીવનમાં ઉતારવા માટે સંદેશો આપવામાં આવે છે.

ગોધરા એલોહીમ મેથોડિસ્ટ ચર્ચમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા આત્મિક જાગૃતિ માસના પ્રોગ્રામનું આયોજનમાં પાળક રેવ સુરેશ ખ્રિસ્તીની આગેવાનીમાં મેથોડીસ્ટ ચર્ચના દરેક સભ્યો આનંદ અને ઉલ્લાસ સાથે અલગ અલગ પરિવારના ઘરે જઈ મિટિંગમાં ભાગ લે છે અને પ્રભુ ઈસુના પવિત્ર બાઇબલમાંથી વાંચન કરીને તેના વિશે સંદેશો આપવામાં આવે છે અને દરેકને આત્મિક ભોજન પીરસવામાં આવે છે. પ્રભુ ઈસુના ઉપવાસના દિવસોને યાદ કરી આ મીટીંગનું ખાસ આયોજન દર વર્ષે કરવામાં આવે છે. આજની આત્મિક જાગૃતીની મીટીંગ સ્વર્ગીય અનિલભાઈ આર કામદારની યાદમાં ચર્ચ ખાતે રાખવામાં આવી હતી. આ મીટીંગમાં અનિલ શાહે સંદેશો આપશે અને સ્તુતિ આરાધના કરશે ત્યારબાદ મિટિંગનું સમાપન કરવામા આવશે.
