Tuesday, March 14, 2023

સુરેન્દ્રનગર મફતિયાપરામાં થયેલા પથ્થરમારામાં ત્રણ લોકો ઘાયલ થયા | Three people were injured in the stone pelting incident in Maftiapara, Surendranagar | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર38 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ભૂંડ પકડવાની બોલેરો કાર સાથે 15થી 20 લોકોનું ટોળું મફતિયાપરા વિસ્તારમાં પહોંચ્યું
  • છૂટ્ટા પથ્થરોના ઘા કરવામાં આવતા આજુબાજુના લોકોમાં ફફડાટ

સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક મારામારીની ઘટના બની છે. ભૂંડ પકડવાના મામલે શહેરના મફતિયાપરા વિસ્તારમાં રહેતા રાજુસિંગ તથા તેમના પરિવાર ઉપર તથા ત્યાં વસવાટ કરતા આજુબાજુના લોકો ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો છે. ત્યારે વઢવાણ જોરાવનગર રતનપર વિસ્તારમાં ભૂંડ પકડતી ટોળકી બોલેરો પીકઅપ ભરી અને રાત્રી દરમિયાન મફતિયાપરા વિસ્તારમાં પહોંચી હતી. અને ત્યાં રાત્રિ દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઘરની બહાર સૂતેલા લોકોને પથ્થર વાગતા સારવાર માટે સુરેન્દ્રનગર શહેરની મેડિકલ કોલેજમા ખસેડવામાં આવ્યા છે.

પ્રાથમિક તપાસમાં ભૂંડ પકડવા મામલે માથાકૂટ થઈ હોય અને ત્યારબાદ તેનું મનદુ:ખ રાખી અને વઢવાણ જોરાવનગર રતનપર વિસ્તારની ટોળકી રાત્રી દરમિયાન બોલેરો પીકઅપમાં 15થી 20 લોકોની આવી પહોંચતા અને ત્યારબાદ પથ્થરમારો કરાયો હોય અને તેમ છતાં પણ સંતોષ ન થતા નીચે ઉતરી અને તલવાર અને અન્ય કેટલાક હથિયારોથી હુમલો કરાયા હોવાનું બહાર આવ્યું છે. જોકે આ મામલે સુરેન્દ્રનગર સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં ભૂંડ પકડવા મામલે માથાકૂટોના બનાવ સતત વધતા જઈ રહ્યા છે. ત્યારે એક તરફ નગરપાલિકા એમ કહી રહી છે કે, કોઈ ભૂંડ પકડવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો નથી. તો આ લોકો ભૂંડ પકડવા શા માટે આવી રહ્યા છે ? કોના આદેશથી ભૂંડ પકડવા આવી રહ્યા છે ? તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યું છે. રાત્રી દરમિયાન આ ઘટનાને લઇ અને મફતિયાપરા વિસ્તારના લોકોમાં ગભરાહટ અનુભવાય રહી છે. ત્યારે રાત્રી દરમિયાન સમગ્ર મફતીયાપરા વિસ્તારના લોકો પણ ભયભીત બન્યા છે.

રાત્રે દરમિયાન મફતિયાપરા વિસ્તારમાં પથ્થરમારો થયો છે. ભૂંડ પકડવા મામલે ચાલતી માથાકૂટમાં પથ્થરમારો સામે જૂથના લોકો દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં ઉનાળાના સમયગાળામાં ઘરની બહાર સૂતેલા વૃદ્ધને પથ્થર વાગ્યો છે. પગના ભાગે પથ્થર વાગતા તેમને 10 જેટલા ટાંકા પગમાં આવ્યા છે. જોકે તેમને તાત્કાલિક પણે આજુબાજુના લોકો દ્વારા સારવાર માટે રાત્રી દરમિયાન જ મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા છે. ત્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી છે. આ ઘટનાને લઇ અને ચકચાર મચી જવા પામી છે. જોકે આ મામલે સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે. હજુ સુધી આ જે હુમલાખોરો છે તે ઝડપાયા નથી, તે અંગે પોલીસ તપાસ કામગીરી હાથ ધરી રહી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: