Tuesday, March 14, 2023

જામનગર જિલ્લાના મસીતીયા, વજીર ખાખરીયા અને જાયવા ગામની જમીન પચાવી પાડવા માટે ફરિયાદ નોંધાઈ | Complaint filed for land grabbing of Masitia, Wazir Khakharia and Jaiva villages of Jamnagar district | Times Of Ahmedabad

જામનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

જામનગરના મસીતિયામાં આવેલી ખેતીની એક સંયુક્ત જમીનમાં ચાર શખ્સે કબજો જમાવ્યાની પોલીસમાં ફરિયાદ થઈ છે. જ્યારે કાલાવડના વજીર ખાખરીયામાં એક આસામીની જમીન પર પિતા-પુત્રએ હક્ક જમાવી લીધો હતો. ઉપરાંત ધ્રોલના જાયવામાં એક દંપતીએ પારકી જમીનમાં કબજો કરી લીધો હતો. આ બાબતની કલેક્ટરને અરજી કરાયા પછી લેન્ડ ગ્રેબિંગ સમિતિએ તપાસ યોજી હતી. તેના પછી ત્રણેય ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે.

જામનગર નજીકના ઢીંચડા ગામમાં રહેતા અબ્બાસભાઈ ઓસમાણભાઈ ખફી નામના આસામીની ખેતીની સંયુક્ત જમીન મસીતિયા ગામના રે.સ.નં.309માં આવેલી છે. સાડા ત્રણ વીઘા જેટલી તેમની સંયુક્ત મિલકતમાં છેલ્લા એકાદ વર્ષથી મસીતિયા ગામના મામદ ઈસ્માઈલ ખફી, હાજી અલારખા છાયાવાળા, ઈરફાન અલારખા છાયાવાળા, ઈસુબ અલારખા છાયાવાળાએ કબજો જમાવી લીધો હતો.

આ જમીન અંગેની રજૂઆત અબ્બાસભાઈએ જિલ્લા કલેક્ટરને કરતા તેની તપાસ લેન્ડ ગ્રેબિંગ સમિતિને સોંપવામાં આવી હતી. તે તપાસમાં ઉપરોક્ત ફરિયાદમાં તથ્ય હોવાનું ખૂલતા પોલીસમાં ફરિયાદ નોંધાવવા સૂચના અપાઈ હતી જેના પગલે ગઈકાલે અબ્બાસભાઈએ પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મામદ, હાજી, ઈરફાન, ઈસુબ સામે જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.

કાલાવડ તાલુકાના છતર ગામમાં રહેતા ચમનભાઈ માધાભાઈ તાળા નામના પટેલ આસામીની કાલાવડના વજીર ખાખરીયા ગામમાં રે.સ.નં.212માં ખેતીની જમીન આવેલી છે. તે જમીનમાં વજીર ખાખરીયા ગામના વીરાભાઈ પુંજાભાઈ ગોરસર, વાઘજીભાઈ વીરાભાઈ ગોરસરે વર્ષ 2010થી કબજો જમાવી લીધો હતો. પોતાની જમીનમાં જ્યારે ચમનભાઈ જતાં હતા ત્યારે તેઓને પ્રવેશ કરવા દેવાતો ન હતો અને બોલાચાલી કરાતી હતી. આ બાબતની ચમનભાઈએ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી. તે અરજીની તપાસ પછી પોલીસ ફરિયાદની સૂચના અપાતા ગઈકાલે ચમનભાઈએ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં બંને પિતા-પુત્ર સામે ફરિયાદ કરી છે.

રાજકોટના સદગુરુ નગરમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હરપાલસિંહ દેવુભા જાડેજા નામના આસામી તથા અન્ય વ્યક્તિઓના નામની ધ્રોલના જાયવા ગામમાં ખેતીની જમીન રે.સ.નં.406માં આવેલી છે. તે જમીન પર જાયવા ગામના જ ભૂપતસિંહ સજુભા જાડેજા, રાજેશ્વરીબા ભૂપતસિંહ જાડેજાએ ચાર વર્ષ પહેલા કબજો કરી લીધો હતો. તે બાબતની પણ જામનગર કલેક્ટરને અરજી પાઠવાઈ હતી. જેની તપાસ લેન્ડ ગ્રેબિંગ સમિતિએ કર્યા પછી ફરિયાદમાં તથ્ય હોવાનું ખૂલતા પોલીસ ફરિયાદની સુચના આપવામાં આવી હતી. તેથી ગઈકાલે હરપાલસિંહે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ભૂપતસિંહ તથા રાજેશ્વરીબા સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: