ભરૂચ2 કલાક પહેલા
- કૉપી લિંક

જંબુસર તાલુકાના કોરા ગામના મોટા ફળિયામાં કાચા મકાનની દીવાલ ધરાશાયી થતા બે લોકો દબાઈ જતા એક વૃદ્ધનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જયારે અન્યને ઈજાઓ પહોંચી હતી.
જંબુસર તાલુકાના કોરા ગામમાં આવેલ મોટા ફળિયામાં રહેતા ૬૦ વર્ષીય ફતેસંગ મહિજીભાઈ ગોહિલ અને ભરત કાલિદાસભાઈ પોતાના કાચા મકાનમાં હતા તે દરમિયાન અચાનક દીવાલ ધરાશાયી થતા બંને વ્યક્તિઓ દબાઈ ગયા હતા ઘટનાને પગલે ગ્રામજનોના ટોળા સ્થળ પર દોડી આવ્યા હતા અને બચાવ કાર્ય હાથ ધરી ભરત કાલિદાસભાઈને બહાર કાઢી તેઓને ૧૦૮ સેવાની મદદ વડે સારવાર માટે જંબુસર ખાતે ખસેડ્યા હતા જયારે દિવાલની દબાઈ જવાથી ફતેસંગ મહિજીભાઈ ગોહિલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.બનાવ અંગે જંબુસર પોલીસ તપાસ હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે…