સાબરકાંઠા (હિંમતનગર)એક કલાક પહેલા
- કૉપી લિંક

હિંમતનગર તાલુકાના પેઢમાલા ગામે શનિવારે રોજ હનુમાનજી મંદિર પાસે પંખીઘર ચબૂતરાનું ખાત મુહૂર્ત કરાયું હતું. સેવાના કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતા પેઢમાલા ગામના રમેશચંદ્ર માણેકલાલ પંડ્યા દ્વારા પંખીઘર ચબૂતરાનું નિર્માણ કરાઈ રહ્યું છે. રમેશભાઈના આ સેવાના કાર્યને ગ્રામજનોએ બિરદાવ્યું હતું.

અગાઉ પણ ડુંગર પશુઓ માટે પાણી પીવા માટેનો રૂ. ૩૫ હજારના ખર્ચે બનાવ્યો હતો. હવે પંખીઓ માટે 15 ફૂટ ઉંચો રૂ. 2.5 લાખના ખર્ચે એક મહિનામાં બનશે. જેને લઈને જીવદયાપ્રેમીઓ ચબુતરામાં ચણ નાખી શકશે અને પશુઓને ગરમીમાં પાણી અને ચણથી રાહત થશે. જે ચબુતરાનું પૂજન અર્ચન સાથે ખાતમુહુર્ત રમેશચંદ્રના હસ્તે ગ્રામજનો અને મંદિરના ટ્રસ્ટીગણોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…