Thursday, March 9, 2023

ભરૂચના નંદેલાવ બ્રીજ પાસે સર્વિસ રોડ પર અજાણ્યા વાહન ચાલકે રાહદારીને ટક્કર મારી, ગંભીરઈજા પહોંચતા મોત | Unknown vehicle driver hits pedestrian on service road near Nandelav Bridge in Bharuch, dies with serious injuries | Times Of Ahmedabad

ભરૂચએક કલાક પહેલા

  • કૉપી લિંક

ભરૂચના નંદેલાવ બ્રીજ નીચે સર્વિસ રોડ ઉપર રાહદારીને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. જેથી અકસ્માત થયો હતો. જેમાં રાહદારીનું સારવાર દરમિયાન વડોદરાની એસ.એસ.જી ખાતે કરુણ મોત નીપજ્યું હતું. ગત તારીખ-6 માર્ચના રોજ ભરૂચના નંદેલાવ બ્રીજ નીચે સર્વિસ રોડ ઉપરથી આશરે 50 વર્ષીય આધેડ પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે રાહદારીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રાહદારીને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી તેઓને વધુ સારવાર માટે વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે ભરૂચ એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: