સુરેન્દ્રનગરએક કલાક પહેલા
- કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સહિત ગામડામાં સતત બીજા દિવસે સાર્વત્રિક વરસાદ ખાબક્યો હતો. જેમાં સતત વરસી રહેલા કમોસમી માવઠાથી ખેડૂતની મહેનતની રોજી ઉપર પાણી ફરી વળતા ખેડૂતો મુંઝવણમાં મુકાયા હતા. જેમાં કમોસમી વરસાદ ખાબકતા અનેક ગામોમાં ઉભી મોલાત જમીનદોસ્ત થઈ ગઈ હતી.

જગતના તાત ખેતીમાંથી વાવેતરની મોટી આશા રાખીને બેઠા હતા. ને અચાનક વરસાદી આફત આવી ઉભી રહેતા ખેડૂતો તેને માથે લઈને જગતનો તાત ચિંતિત બન્યો છે. એમાય ચોટીલાના ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા. અને આફતરૂપે આવેલા કમોસમી વરસાદ ખેતરમાં ઉભા પાકને જમીનદોસ્ત કર્યો હતો. અને ખેડૂતોને મોંઢામાં આવેલો કોળીયો છીનવાઇ જતાં કમોસમી વરસાદથી ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો હતો.


અન્ય સમાચારો પણ છે…