Wednesday, March 22, 2023

કાગવડ ખોડલધામ મંદિરના આંગણે નવ દિવસ મહિલા સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાશે | Various programs will be organized by Mahila Samiti for nine days in front of Kagawad Khodaldham temple | Times Of Ahmedabad

ગોંડલએક કલાક પહેલા

  • કૉપી લિંક

ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ થઇ ચુક્યો છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર નવ દિવસ સુધી ચાલતા આ મહાપર્વમાં માતાજીની કૃપા મેળવવાની સૌથી શ્રેષ્ઠ સમય હોય છે. ભક્તો માતાને પ્રસન્ન કરવા માટે નવ દિવસ ઉપવાસ રાખતા હોઈ છે. ત્યારે કાગવડ શ્રી ખોડલધામ મંદિર ખાતે ચૈત્રી નવરાત્રી દરમિયાન શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ મહિલા સમિતિ દ્વારા ખોડલધામ મંદિર ખાતે વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં રાસ ગરબા,ચૂંદડી મનોરથ, યજ્ઞ, ધ્વજારોહણ, લાપસી મહોત્સવ, માતાજીના વાઘા તથા રાસ ગરબા અને દીપ યજ્ઞ સહિતના કાર્યક્રમો નવ દિવસ યોજાશે.

કાગવડ શ્રી ખોડલધામ ટ્રસ્ટ મહિલા સમિતિની મહિલાઓ દ્વારા ચૈત્રી નવરાત્રી દરમિયાન નવ દિવસ જેમ કે 22 માર્ચ બુધવાર પ્રથમ દિવસે રાજકોટ શહેર, પડધરી, લોધિકા, કોટડાસાંગાણિ, જસદણની મહિલા સમિતિ દ્વારા રાસ ગરબા યોજવામાં આવ્યા હતા. 23 માર્ચ ગુરૂવાર બીજા નોરતા ભાવનગર જિલ્લાની મહિલાઓ દ્વારા રાસ ગરબા યોજાશે. 24 માર્ચ શુક્રવાર ત્રીજું નોરતું જૂનાગઢ અને ગિરસોમનાથ જિલ્લાની મહિલાઓ દ્વારા રાસ ગરબા યોજાશે. 25 માર્ચ શનિવાર ચોથું નોરતું મોરબી જિલ્લાની મહિલાઓ દ્વારા રાસ ગરબા યોજાશે. 26 માર્ચ રવિવાર પાંચમું નોરતું ગોંડલ તાલુકાની મહિલાઓ દ્વારા ચુંદડી મનોરથ અને યજ્ઞ યોજાશે. 27 માર્ચ સોમવાર છઠું નોરતું અમરેલીની મહિલાઓ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવશે, 28 માર્ચ મંગળવાર સાતમું નોરતું જેતપુર અને ઉપલેટાની મહિલાઓ દ્વારા લાપસી મહોત્સવ યોજાશે, 29 માર્ચ બુધવારે આઠમું નોરતું જામનગરની મહિલાઓ દ્વારા માતાજીના વાઘા અને રાસ ગરબા યોજાશે, 30 માર્ચ ગુરૂવાર નવમું નોરતું જામકંડોરણા અને ધોરાજીની મહિલાઓ દ્વારા દીપ યજ્ઞ અને રાસ ગરબા યોજાશે.

અન્ય સમાચારો પણ છે…