Sunday, March 12, 2023

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નગરદેવી ભદ્રકાળીને પ્રાર્થના કરાઈ કે અંબાજી મંદિરના વહીવટી તંત્રને સદબુદ્ધિ આપો | Vishwa Hindu Parishad prayed to Nagardevi Bhadrakali to grant sanity to the administration of Ambaji temple. | Times Of Ahmedabad

અમદાવાદ7 મિનિટ પહેલા

  • કૉપી લિંક

યાત્રાધામ અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવાનો અને ચીક્કીના પ્રસાદ શરૂ કરવાના નિર્ણયને લઇ વિવાદ ખૂબ જ વધ્યો છે. હિન્દુ સંગઠનો દ્વારા આ મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદે પણ મોહનથાળનો પ્રસાદ બંધ કરવાને લઈ વિરોધ નોંધાવ્યો છે આજે વિશ્વ હિન્દુ પરિષદ અમદાવાદ દ્વારા શહેરના નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે સ્તુતિ આરતી કરી અને મોહનથાળ નો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ કાર્યકર્તાઓ અને લોકોએ માતાજીને પ્રાર્થના કરી હતી કે મોહનથાળ બંધ કરવાનો જે નિર્ણય વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે ત્યારે તેઓને સદબુદ્ધિ આપે અને મોહનથાળ નો પ્રસાદ ફરી શરૂ કરવામાં આવે.

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અંબાજી મંદિરમાં જે મોહનથાળ નો પ્રસાદ બંધ કરવાનો નિર્ણય વહીવટી તંત્ર એ લીધો છે તેનો વિરોધ કર્યો હતો ગુજરાતના અલગ અલગ શહેરોમાં આવેલા માતાજીના મંદિરોમાં મોહનથાળ નો પ્રસાદ વહેંચી અને અંબાજી મંદિરના વહીવટી તંત્રને માતાજી સદબુદ્ધિ આપે અને મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરે તેની માટે થઈ અને કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. જેના પગલે આજે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે વિશ્વ હિન્દુ પરિષદના નેતા અશોકભાઈ રાવલ સહિતના નેતાઓ કાર્યકર્તાઓ અને શ્રદ્ધાળુઓએ આરતી અને સ્તુતિ કરી હતી તેમજ મોહનથાળનો પ્રસાદ પણ વહેંચયો હતો.

અન્ય સમાચારો પણ છે…