વલસાડ2 કલાક પહેલા
- કૉપી લિંક

વલસાડના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં પુસ્તક પરબની એક વર્ષની સફળ સફરની ઉજવણીના એક કાર્યક્રમમાં પુસ્તક પરબનો લાભ લેનારા અનેક વાંચકો ઉપસ્થિત રહ્યા હતા. અહીં ઉપસ્થિત રહેલા અનેક પ્રાધ્યાપકો, લેખકો, વાંચન રસિકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા. આ પોતિકા કાર્યક્રમમાં વાંચકોએ પુસ્તક પરબ શરૂ કરનારા આશાબેન ગોહિલ તેમજ તેમની ટીમના હાર્દિક પટેલ, જગદિશ આહિર, વિલ્સન મેકવાન, અર્ચના ચૌહાણ, હંસા પટેલ, જયંતિભાઇ મિસ્ત્રી અને દેવરાજ કરડાણીના વખાણ કર્યા હતા. આ કાર્યક્રમમાં અનેક જાણીતા ચહેરાઓ આવ્યા હતા.

વલસાડના સ્પોર્ટસ ક્લબ ખાતે 1 વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલા પુસ્તકની પરબ ઉપર 718 પૂસ્તકના વધુ તરસ્યા લોકો 3 પુસ્તક વાંચી પરબ ઉપરથી વાંચનની તરસ બુઝાવી હતી. એક વર્ષ દરમ્યાન 2650 પુસ્તકો પુસ્તક પરબમાં વાંચક રસિકો માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. પુસ્તકએ દુનિયાને જોવાની એક વિશાળ બારી છે. વિવિધ પુસ્તક વિવિધ વિષય સાથે આપણો પરિચય કરાવે છે. જેનાથી મનની આંતરિક શક્તિ પણ ખિલતી હોય છે. એવું પુસ્તક પરબની એક વર્ષની ઉજવણી કાર્યક્રમમાં આવેલા કવયિત્રી અને બારડોલી કોલેજના પ્રાધ્યાપક સંધ્યાબેન ભટ્ટે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતુ. તેમણે વધુમાં જણાવ્યું કે, પુસ્તક પુસ્તક વાંચન એ આદત છે, જેને કેળવવી પડે છે. જ્યારે બાળક નાનું હોય, ત્યારથી જ તેની આજુ બાજુ રમવા માટે સારા સારા પુસ્તકો મુકવા જોઇએ. જેનાથી તે પુસ્તકો પ્રત્યે આકર્ષાય. બાળક મોટું થાય એ મુજબ તેના રસ મુજબના પુસ્તકો વંચાવવા જોઇએ. તો પુસ્તક વાંચનની આદત કેળવી શકાય છે. જેનાથી એક સુંદર જીવનનું ઘડતર કરી શકાય છે.
એક વર્ષથી ચાલતી પુસ્તક પરબમાં 718 પુસ્તકોને વાંચકો મળ્યા
વલસાડમાં દર મહિનાના પહેલા રવિવારે રસ્તા ઉપર પુસ્તક પ્રદર્શન કરી પુસ્તક પરબ ચલાવાય છે. એક વર્ષમાં 13 વખત પુસ્તક પરબ ખુલ્લી મુકાઇ હતી. આ 13 પ્રદર્શન થકી પ્રદર્શનમાં રખાયેલા કુલ 2,650 પુસ્તકો પૈકી 718 પુસ્તકોને વાચકો મળ્યા છે. પુસ્તક પરબ થકી પુસ્તક પ્રેમીઓની ટીમ વલસાડના લોકોમાં વાંચન રસ જગાવવાનો આ અનોખો પ્રયાસ કરી રહ્યા છે.