Saturday, April 29, 2023

સ્કૂલોમાં બાલવાટીકા શરૂ કરાશે, 1 જૂને 5 વર્ષ પૂર્ણ કરનારને બાલવાટીકામાં મૂકી શકાશે | Balwatika will be started in schools, those who complete 5 years on June 1 can be placed in Balwatika | Times Of Ahmedabad

અમદાવાદ32 મિનિટ પહેલા

  • કૉપી લિંક

નવી શિક્ષણ નીતિનો અમલ શરૂ થઈ રહ્યો છે ત્યારે 1 જૂને 6 વર્ષ પૂર્ણ કરનારને ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે ત્યારે હવે રાજ્યમાં બાલવાટીકા શરૂ કરવા પણ નિર્ણય કરવામાં આવ્યો છે.પ્રાથમિક સ્કૂલોમાં બાલવાટીકા શરૂ કરવામાં આવશે.1 જૂને 5 વર્ષ ઉંમર પૂર્ણ હશે તેમને બાલવાટીકામાં એડમિશન આપવામાં આવશે.

નવી શિક્ષણ નીતિનો અમલ શરુ
નવી શિક્ષણ નીતિ અનુસાર શાળાકીય માળખું 5+3+3+4 નું રહેશે. 3 વર્ષથી વધુ ઉંમરના બાળકના 2 વર્ષ આંગણવાડી કે પૂર્વ પ્રાથમિકમાં રહેશે,1 વર્ષ બાલવાટીકામાં અને ધોરણ-1 તથા 2 તે પૂર્વ પ્રાથમિક શિક્ષણ ગણાશે, ધોરણ 3 થી 5 પ્રારંભિક શિક્ષણ, ધોરણ 6 થી 8 ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ અને 9 થી 12 માધ્યમિક શિક્ષણ રહેશે.

1 જૂને 5 વર્ષ પૂર્ણ કરનારને બાલવાટીકામાં પ્રવેશ
સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોમાં 2023-24થી બાલવાટીકાના વર્ગો શરૂ કરવાના રહેશે. ખાનગી સ્કૂલોમાં પ્રારંભિક બાળસંભાળ અને શિક્ષણ અધ્યનનો પાયો મુજબ 3 વર્ષ માટેની વ્યવસ્થા ફરજિયાત કરવાની રહેશે.1 જૂને 5 વર્ષ પૂર્ણ કરનાર બાળકને જ બાલવાટીકામાં પ્રવેશ આપવામાં આવશે.1 જૂને 6 વર્ષ પૂર્ણ કરનાર બાળકને ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે. બાલવાટીકામાં PTC ડિપ્લોમા બીએડને શિક્ષક તરીકે નિમણુક કરાશે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.