સુરત25 મિનિટ પહેલા
- કૉપી લિંક

ફાઈલ તસવીર
સુરતના લીંબાયત પોલીસ મથકમાં એક પરિણીતાએ પતિ, સાસુ-સસરા બે જેઠ અને બે જેઠાણી સામે ફરિયાદ નોંધાવી છે. પરિણીતા હિંદુ હતી અને તેણીએ મુસ્લિમ યુવક સાથે માતા પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા લગ્ન બાદ તેણીને મુસ્લિમ ધર્મ અપનાવવા દબાણ કરવામાં આવતું હતું. તેમજ તેનો પતિ જેલમાં જતા તેના બે જેઠ છેલ્લા ૧ વર્ષથી તેણીનું શારીરિક શોષણ કરતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ બનાવમાં પરિણીતાની ફરિયાદના આધારે પોલીસે પતિ, સાસુ સસરા અને બે જેઠ અને બે જેઠાણી સામે ગુનો નોંધ્યો છે
આ સમગ્ર બનાવ અંગે પરિણીતાએ લીંબાયત પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ પરિણીતાનો પતિ અવાર નવાર શરીર સબંધ બાંધતો આવ્યો હતો અને ત્યારબાદ લગ્ન કરી સંયુક્ત કુટુંબમાં પરિવાર સાથે રહેવા માટે તેના ઘરે લઇ ગયો હતો. જ્યાં પ્રોઈનીતાને બે માસ સુધી સારી રીતે રાખી હતી
પરિણીતાએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે તે હિંદુ હોવાથી તેણીને મંદિરમાં જવાની ના પાડવામાં આવતી હતી તેમજ બળજબરી પૂર્વક મુસ્લિમ ધર્મ અપનાવવા દબાણ કરીને ધર્મ પરિવર્તન કરાવ્યું હતું જ્યાં તેનું નામ બદલીને તેણીને બોલાવતા હતા તેમજ મુસ્લિમ ધર્મ મુજબ નમાઝ પઢવા અને કુરાન વાંચવા માટે દાબ દબાણ કરી સતત માનસિક ત્રાસ આપવાનું શરુ કર્યું હતું ઘર કામની નાની નાની બાબતોમાં તેણીને મ્હેણાં ટોણા મારવાનું શરુ થયું હતું
પરિણીતાએ ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ તેનો પરિણીતાએ માતા પિતાની મરજીની વિરુદ્ધમાં જઈને નિકાહ કર્યા હોવાથી તેણીના ભાઈ અને બહેન પણ તેણીને બોલાવતા ન હતા. જેથી આ બાબતનો ફાયદો ઉઠાવી પરિણીતાને ત્રાસ આપતા હતા. તેમજ બંને જેઠાણીઓ સાથે મળીને ઘરના કામકાજ બાબતે હેરાન પરેશાન કરતા હતા. આ બાબતે પતિને ફરિયાદ કરતા પતિએ તેમના ઘરના સભ્યોનો પક્ષ લઇ તું મેરે માતા પિતા, ભાભી કે સામને કુછ ભી બોલેગી યા સામને હોગી તો મેં તેરે કો તેરે માયકે ભેજ દુંગા તેમ કહી ધાક ધમકીઓ આપી ઢીક્કામુક્કીનો માર મારતા હતા જેથી પરિણીતા કંટાળી મધ્યપ્રદેશ તેના ભાઈના ઘરે રહેવા ચાલી ગયી હતી. જ્યાં થોડા સમય બાદ તેનો પતિ લેવા આવતા તે પરત લીંબાયત વિસ્તારમાં તેના પતિની સાથે રહેવા આવી ગયી હતી
દરમ્યાન તેનો પતિ જેલમાં હતો તે દરમ્યાન તેના બંને જેઠ મળીને ઘરમાં તેણીને ધાક ધમકીઓ આપતા હતા અને શારીરિક છેડતી કરતા હતા. અને તેમના ઘરે કોઈ ના હોય તે વખતે તેઓ અલગ અલગ સમયે પરિણીતાની મરજી વિરુદ્ધ શરીર સબંધ બાંધી શારીરિક શોષણ કરતા હતા. જે બાબતે પરિણીતાએ સાસુ સસરા તથા બંને જેઠાણીઓને વાત કરતા પરિણીતાને જણાવ્યું હતું કે હમારે મેં યે સબ હોતા રહેતા હૈ. ત્યારબાદ એકાદ વર્ષ સુધી તેના બંને જેઠ અલગ અલગ સમયે શારીરિક સોશ્ન કરતા આવ્યા હતા
પરિણીતાએ લીંબાયત પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં ગંભીર આક્ષેપો સાથે જણાવ્યું હતું કે ૧૫ મહિના બાદ તેનો પતિ જેલમાંથી છૂટીને આવ્યો હતો અને આ સમગ્ર બનાવની જાણ તેના પતિને કરી હતી પરંતુ તેના પતિએ તેની કોઈ વાત માની ના હતી તેમજ એકાદ મહિના બાદ પરિણીતા ગર્ભવતી થઇ હતી દરમ્યાન તેના પતિએ કહ્યું હતું કે યે બચ્ચા મેરા નહી હૈ તું યે બચ્ચા ગીરા દે, એબોશન કરાદે તેમ કહ્યું હતું પરંતુ પરિણીતાએ ના કહેતા તેણીને માર મારતા હતા જેથી કંટાળી પરિણીતા આખરે તેના માતા પિતાના ઘરે રહેવા ચાલી ગયી હતી
આ સમગ્ર બનાવમાં લીંબાયત પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે તેના પતિ, સસરા, સાસુ , બે જેઠ તેમજ બે જેઠાણી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.