બનાસકાંઠા (પાલનપુર)29 મિનિટ પહેલા
- કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લામાં આજે કોરોનાનો એકપણ કેસ ન નોંધાતા તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. જોકે, જિલ્લામાં હજી પણ 10 એક્ટિવ કેસ છે. આજે RT-PCR 932 અને ANTIGEN 1160 ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. જેના રિઝલ્ટ આવતી કાલે આવશે.
ગુજરાત સહીત બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જોકે આજે બનાસકાંઠા જિલ્લામાં એકપણ કેસ ન નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ભારતમાંથી હજી કોરોના નાબૂદ થયો નથી આ અંગે આરોગ્ય તંત્ર એલર્ટ બની ગયું છે અને આર.ટી.પી.સી.આર. અને એન્ટીજન ટેસ્ટની સંખ્યા વધારી દીધી છે. રાજ્યમાં પણ કોરોનાના કેસો દિન પ્રતિદિન વધુને વધુ નોંધાઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં હાલ 10 એક્ટિવ કેસ છે.
બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા કુલ 2092 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી એક પણ કેસ ન નોંધાતા તંત્ર એ રાહત લીધો છે. જોકે હજુ જિલ્લા કુલ 10 એક્ટિવ કેસ છે. આજે એક વ્યક્તિએ કોરોનાને માત આપી છે. ધીમે ધીમે વધતા કોરોના કેસોમાં લોકોને સતર્ક રહેવું જરૂરી છે.