Monday, April 17, 2023

ચૂંટણીપંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ, આવાસ યોજનામાંથી 11 ભાડુત પકડાતા ફ્લેટ સીલ કરી નોટિસ પાઠવી | Electoral list revision program started by election commission, 11 tenants caught from housing scheme, sealed flats and sent notice | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Electoral List Revision Program Started By Election Commission, 11 Tenants Caught From Housing Scheme, Sealed Flats And Sent Notice

રાજકોટ42 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ચૂંટણીપંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે. જેમાં ગઈકાલે તા.16ને રવિવારના પ્રથમ તબકકાની હાથ ધરાયેલ ઝુંબેશમાં કુલ 4513 નવા મતદારોએ ફોર્મ નં.6 રજૂ કરી પોતાના નામ મતદાર યાદીમાં ઉમેરવા માટે અરજી કરી હતી. જેમાં 18-19 વર્ષના 2421 યુવા મતદારોએ અરજી ફોર્મ રજુ કરી મતદાર યાદી માટે નામ નોંધાવ્યા હતા. જયારે 3809 મતદારોએ ફોર્મ 6-બી રજુ કર્યા હતા એટલે કે ચુંટણી કાર્ડ સાથે આધારકાર્ડ લીંક કરાવવા માટે ફોર્મ રજુ કર્યા હતા. જયારે 1262 મતદારોએ મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા માટે ફોર્મ-7 સબમીટ કરાવેલ હતું. આ ઉપરાંત ચૂંટણી કાર્ડમાં નામ, જન્મ તારીખ, ફોટો, સરનામું વગેરેના સુધારા વધારા માટે 7056 જેટલા મતદારોએ ફોર્મ-8 સબમીટ કરાવેલ હતા. આમ કુલ 16660 જેટલા મતદારોએ ગઈકાલની મતદાર યાદી સુધારણાની આ ખાસ ઝુંબેશનો લાભ લીધો હતો.

11 ભાડુત પકડાતા ફ્લેટ સીલ કરી નોટિસ પાઠવી
રાજકોટ મહાનગરપાલિકાની જુદી જુદી આવાસ યોજનામાં ગેરકાયદેસર રીતે અને ભાડે રહેતા આસામીઓની વિગત નવનિયુકત કમિશ્નર આનંદ પટેલના ધ્યાન પર આવતા તેમણે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં મવડીની રામ આવાસ યોજનામાંથી 11 ભાડુત આસામી પકડાતા ફ્લેટ સીલ કરી નોટિસ પાઠવી કાર્યવાહી હાથ ધરાઇ છે. જયારે રૈયાધારની આવાસ યોજનામાં ગેરકાયદે રહેતા આસામી સામે પોલીસ ફરિયાદ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

104 મિલ્‍કતોને સીલ કરી 2.36 કરોડની વસુલાત
રાજકોટ મનપાની વેરા વસુલાત શાખા દ્વારા નવા નાણાંકીય વર્ષમાં નવનિયુકત મ્‍યુ. કમિશનર આનંદ પટેલ દ્વારા અપાયેલ નવા લક્ષ્યાંક 500 કરોડને પુરો કરવા અત્‍યારથી જ શરૂઆત કરી દીધી છે. સામાન્‍ય રીતે અગાઉ જાન્‍યુઆરીથી મિલ્‍કત સીલ, નળ કપાત તથા નોટીસ આપવાની કાર્યવાહી કરવામાં આવતી હતી પરંતુ ગત વર્ષથી રીકવરી સેલ બનાવવામાં આવતા આ વર્ષે એપ્રિલ માસથી બાકી મિલ્‍કત વેરો વસુલવા કાર્યવાહી કરવામાં આવતા આજે 104 મિલ્‍કતોને સીલ કરી 2.36 કરોડની વસુલાત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: