- Gujarati News
- Local
- Gujarat
- Narmada
- In The Narmada Panchkoshi Parikrama, There Will Be A Facility Path For The Pilgrims, Along With Discussions On The Construction Of Pools In The River On Both Sides.
નર્મદા (રાજપીપળા)44 મિનિટ પહેલા
- કૉપી લિંક
ચૈત્ર મહિનામાં ઉત્તરવાહિની મા નર્મદાની જે પરિક્રમા કરવામાં આવે છે જે વિશેષ ફળ આપનારી હોય દેશભરના વિવિધ રાજ્યોમાંથી અને ગુજરાત રાજ્યના ખૂણે ખૂણેથી ભક્તો મોટી સંખ્યામાં નર્મદા પંચકોશી પરિક્રમા કરવા આવે છે. ત્યારે દર રવિવારે અને રજાના દિવસે એક લાખ કરતા વધુ ભક્તો આવે છે. ત્યારે નાવડીમાં બેસવા માટે ની જે ધક્કામુકી સર્જાતી હોય છે, લોકો ત્રાહિમા પોકારી ઉઠે છે. વ્યવસ્થા તંત્ર ગમે તેવી કરે ભીડમાં અસ્ત વ્યસ્ત થઇ જાય છે. આમ આ પંચકોશી પરિક્રમાનો દિવસે દિવસે વ્યાપ વધતો જાય છે અને પરિક્રમા કરનારા લોકોની સંખ્યા પણ વર્ષે વર્ષે વધતી જાય છે.
આ એક મહિનો ચાલનારી પરિક્રમામાં આ વર્ષે જે મુશ્કેલીઓ પડી જે બધું જોતા છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા, ભરૂચ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય નાંદોદ ડો.દર્શના દેશમુખ સહીત સંગઠનના હોદેદારો એ બેઠક કરી આગામી વર્ષે આ પરિક્રમામાં સુવિધા ભરપૂર કરવા સરકારમાં રજૂઆત કરશે. તે સાથે જરૂર પડે નર્મદા જિલ્લાના વિકાસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિશેષ નજર હોય અને પ્રવાસન ધામને તેઓ મહત્વ અપાતા હોય ત્યારે બંને સાંસદ ગીતાબેન અને મનસુખભાઇ પ્રધાનમંત્રી નરેદ્ર મોદીને પણ મળી આ પંચકોશી પરિક્રમાની સુવિધાઓને લઈને ખાસ આયોજનની વાત કરશે. શક્ય છે આ પરિક્રમામાં આગામી વર્ષોમાં રોજ બે થી ત્રણ લાખ પરિક્રમા વાસીઓ આવે તો તેમની મુક્ત મને ચાલવાની વ્યવસ્થા, વિષામાની વ્યવસ્થા, તેઓ જે વાહનો લઈને આવે તેના પાર્કિંગની વ્યવસ્થા સહીત અનેક કામગીરીઓ તંત્ર દ્વારા કરવામાં આવે તો સુંદર આયોજન થઇ શકે એમ છે. જોકે હવે સાંસદો, ધારાસભ્ય અને ભાજપ ના પ્રમુખ હોદેદારો તમામ એક સાથે આ પરિક્રમાના વિકાસ માટે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે આગામી વર્ષે અનેક વિકાસ જોવા મળશે એ બાબત નક્કી છે.

આ અંગે ડૉ.દર્શનાબેન દેશમુખ (ધારાસભ્ય) એ જણાવ્યું હતું કે, જાતે દર વર્ષે પરિક્રમા કરું છું. આ વર્ષે પણ પરિક્રમા કરી પરંતુ વ્યવસ્થા અંગે તંત્રનું મેં પણ ધ્યાન દોર્યું હતું અને નાવડીઓ વધારવાની વાત કરી હતી. અમારા જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલે અને અમારા અનેક આગેવાનો ભેગા થઇ સ્વ ખર્ચે કાચો પૂલ બનાવ્યો જેની મંજૂરી માટે પણ ગાંધીનગરથી પરવનગી લાવ્યા ઠીક છે, પછી તંત્ર કામે લાગ્યું પરંતુ આજે દેશભરમાંથી ભક્તો આપણા જિલ્લામાં આવતા હોય તો તેમની વ્યવસ્થાની જવાબદારી નર્મદા જિલ્લાની બને છે. અવસ્થા સર્જાય તો ખરાબ સરકારનું દેખાય એ કેમ ચાલે એટલે આગામી વર્ષે આગોતરું આયોજન કરી એકદમ સુંદર વ્યવસ્થા કરી દેવામાં આવશે.
પરિક્રમામાં ભીડ ગમે તેટલી થાય સંભવિત સુધારા જરૂરી
1. 21 કિમિ નો જે પરિક્રમા પથ છે તે તૈયાર કરવામાં આવે, લાઈટો મુકવામાં આવે, ઘણા ભક્તો ઉઘાડા પગે પણ પરિક્રમા કરે તો કાંઈ વાગે નહિ
2.પરિક્રમા નો પ્રારંભ રામપુરા હોય તો ત્યાંથી જ શરૂઆત થાય એ નક્કી કરવાનું બાકી મનફાવે તેમાં કોઈ તિલકવાડા ચાલુ કરે તે બંધ કરવું જરૂરી
3. પરિક્રમા માટે એક મહિનો એક કલાકે કલાકે બસો દોડે એવી એસ.ટી. બસ સુવિધાઓ કરવામાં આવે.
4.રામપુરા ગામ સિંગલ પટ્ટી રોડ હોય વાહનો લોમીટેડ સમાઈ સકતા હોય પાર્કિંગ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવે,
5. પંચકોશી પરિક્રમા નું એક સંઘઠન બનાવવામાં આવે ભક્તો ની નોંધણી થાય એવી વ્યવસ્થા કરવામાં આવે
6. મનફાવે તેમ આવતા પરિક્રમાવાસીઓ ઓનલાઇન નોંધણી થાય તો રવિવારે એક લાખ કે બે લાખ એની કેપેસિટી હોય એ સિવાય બુકિંગ થાય નહિ
7. રામપુરા થી પ્રારંભ થઇ પરિક્રમા 5 કલાકે રણછોડજી દાદાના દાર્શની થી શરૂઆત થતી હોય છે. પણ ને ફાવે તો રાત્રીના 10 વાગ્યા થી 12 વાગ્યાથી ચાલઉં કરી દે એવો સમય પણ ના હોવો જોઈએ.
8. નર્મદા નદી પાર બંને માર્ગે કાચા પૂલ કે તરાપા પૂલ બને પહોળા અને રોજના એક લાખ લોકો અને સાથે 100 થી વધુ ભેગા થાય તો પણ તૂટે નહિ એવા મજબૂત બનાવવા જોઈએ.