42 મિનિટ પહેલા
- કૉપી લિંક

અમદાવાદ શહેરના નાગરિકોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવતી સુવિધાઓ તેમજ નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે રીતે કડક કામગીરી મ્યુનિસિપલ કમિશનર દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓ પાસે કામ લેવામાં આવી રહ્યું છે ત્યારે હવે કામનું ભારણ હોવાનું કારણ આગળ દર્શાવી અને અધિકારીઓ નોકરી છોડી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા બે ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર અને બે વોર્ડ ઇન્સ્પેક્ટર દ્વારા સ્વૈચ્છિક રાજીનામાં આપવામાં આવ્યા છે. ઉત્તર અને ઉત્તર પશ્ચિમ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર તેમજ ઉત્તર ઝોનમાં આવતા નરોડા અને સરદાર નગર બોર્ડના ઇન્સ્પેક્ટર દ્વારા રાજીનામાં આપી દેવામાં આવ્યા છે સૂત્રોના જણાવ્યા મુજબ આ અધિકારીઓ અગાઉ વિવાદમાં આવી ચૂક્યા હતા. કમિશનર દ્વારા દરેક વિભાગ પાસેથી જે રીતે કામ લેવામાં આવે છે તે જ રીતે એસ્ટેટ વિભાગમાં પણ કામગીરી થાય છે પરંતુ કામનું હવે ભારણ વધી ગયું છે તેવું કારણ દર્શાવી અને આ અધિકારીઓ અને કર્મચારીઓએ રાજીનામાં આપ્યા છે.
કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ મ્યુનિસિપલ કમિશનર તેમજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિભાગ દ્વારા કામગીરીમાં બેદરકારી બદલ નોટિસ મેળવનારા ઉત્તર ઝોનના ડેપ્યુટી ઓફિસર ચંદનસિંહ બિલવાલ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર તરીકે ફરજ બજાવતા મુકેશ પટેલે નોકરીમાંથી સ્વૈચ્છિક રાજીનામાં આપી દીધા છે. જ્યારે ઉત્તર ઝોનમાં આવતા નરોડા વોર્ડ અને સરદારનગર વોર્ડના પરેશ પટેલ તેમજ નીરજ ઝા નામના ઇન્સ્પેક્ટરો દ્વારા પણ રાજીનામાં આપી દેવામાં આવ્યા છે. અધિકારીઓ અને કર્મચારીઓએ વિભાગમાં સવારથી લઈને સુધી સતત કામનું ભારણના કારણે રાજીનામાં આપ્યા હોવાનું કારણ સામે આવ્યું છે. કમિશનર દ્વારા તાજેતરમાં એસ્ટેટ વિભાગના નમસ્કાર અધિકારીઓને કર્મચારીઓની બદલી કરવામાં આવી હતી તેમાં ઇન્સ્પેક્ટર ની પણ બદલી થઈ હતી 15 દિવસમાં પહેલા જ આ ઇન્સ્પેક્ટરની બદલી થઈ અને હવે તેઓએ રાજીનામાં આપી દીધા છે.