જુનાગઢ8 કલાક પહેલા
- કૉપી લિંક
ગુજરાતમાં પ્રથમ વખત પોલીસ તંત્ર દ્વારા પાણીની પહેલ માટે જુનાગઢ પોલીસ પરેડ ગ્રાઉન્ડ નજીક ચેકડેમ બનાવવાનું ઉત્કૃષ્ટ કાર્ય કરવામાં આવ્યું છે ત્યારે રેન્જ આઇજી મયંકસિંહ ચાવડાની ઈચ્છા શક્તિ અને નેતૃત્વમાં જૂનાગઢના ધારાસભ્યો, સિંચાઈના અધિકારીઓ અને સરકારના સહયોગથી જંગલ વિસ્તારને સાફ કરી લોકોની પાણીની સુવિધા પૂરી પાડવા હેતુસર ચેકડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

જુનાગઢ રેન્જ આઈ.જી મયંકસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે પોલીસ તાલીમ મહાવિદ્યાલય 234 એકરમાં ફેલાયેલું છે અને જેમાંથી 64 એકર વિસ્તાર એવો હતો કે જેમાં બાવળ અને જંગલ વિસ્તાર હતો. અને જે જગ્યા પર વિઝીટ લેતા માલુમ પડ્યું કે આ જગ્યા ડેવલોપ થઈ શકે તેમ છે.ત્યાં ધારાસભ્ય અને બીજા લોકોની મદદ થી ગિરનાર પરેડ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું. આ ગ્રાઉન્ડનું ગૃહ મંત્રી દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું. અને ત્યારબાદ આ જગ્યાની બાજુમાં સિંચાઈ અધિકારી અને ધારાસભ્યની સાથે મુલાકાત લેતા માલુમ પડ્યું કે આ જગ્યા પર સીરીઝ ઓફ ચેકડેમ બનાવી શકાય તેમ છે. અને આજે ચેકડેમના એક મણકારુપી એક ચેકડેમનું ધારાસભ્યો દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અને આ ચેક ડેમમાં 2.14 MCFT પાણી સમાય તેમ છે. 1500 થી વધુ લોકોની પાણીની જરૂરિયાત સંતોષાય તેમ છે. અને આ ચેકડેમ ના લીધે આજુબાજુ 360 ડિગ્રી વિસ્તારમાં પાણીના તળ પણ ઊંચા આવશે. પશુ પંખીઓ વન્ય પ્રાણીઓ રિઝર્વ ફોરેસ્ટ બધાને પાણી પૂરું મળી રહેશે.

ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા જણાવ્યું હતું કે જુનાગઢ પોલીસ તાલીમ મહાવિદ્યાલય અને જુનાગઢ સિંચાઈ વિભાગના સંયુક્ત ઉપક્રમે આજે કબૂતરી ખાણ ચેકડેમનું ખાતમુહરત કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં આપેલું એવો પ્રસંગ હશે કે જ્યાં પોલીસ તંત્ર દ્વારા એક ચેકડેમ નું કામ થઈ રહ્યું છે. જુનાગઢ રેન્જ આઇ.જી ચાવડાના ઉચ્ચ વિચાર અને એમની ઈચ્છા શક્તિથી આ ચેકડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ચેકડેમ 35,000 ચોરસ મીટર ની અંદર બનશે. આ ચેકડેમ થી આજુબાજુના 30 હેક્ટર જમીનની અંદર પાણીનો સ્ત્રોત વધશે.
