નવસારી30 મિનિટ પહેલા
- કૉપી લિંક

- ભારતમાં ગ્રહણ જોવા ન મળવાથી ધાર્મિક રીતે મહત્ત્વ રહેશે નહીં
વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 20 એપ્રિલે થશે. આ પૂર્ણ સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના દિવસે થશે. જો કે તે ભારતમાં જોવા નહીં મળે, તેથી તે માત્ર ખગોળીય દૃષ્ટિકોણથી વિશેષ હશે. ધાર્મિક રીતે તે મહત્ત્વનું રહેશે નહીં. આ જ કારણ છે કે તેના સુતક કાળને પણ દેશમાં ગણવામાં આવશે નહીં. અમાસ પર ધાર્મિક કાર્ય કરવામાં કોઈ દોષ રહેશે નહીં. સ્નાન, દાન અને પૂજા કરી શકાય છે. આ સૂર્યગ્રહણના 15 દિવસ પછી અમાવસ્યા પર એટલે કે 5 મેના રોજ ઉપછાયા ચંદ્રગ્રહણ થશે. જેને માત્ર ટેલિસ્કોપ કે કોઈ ખાસ સાધન વડે જ જોઈ શકાય છે. આ જ કારણ છે કે તેનું પણ કોઈ મહત્વ રહેશે નહીં.
ઓસ્ટ્રેલિયા અને ઈન્ડોનેશિયામાં જોવા મળશે ગુરુવાર, 20 એપ્રિલના રોજ થનારું સૂર્યગ્રહણ એન્ટાર્કટિકા, ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, હિંદ મહાસાગર અને પ્રશાંત મહાસાગરના દક્ષિણ ભાગોમાં દેખાશે, તેથી આ સ્થાનો પણ આ ગ્રહણથી પ્રભાવિત થશે. ભારતીય સમય અનુસાર, આ પૂર્ણ સૂર્યગ્રહણ લગભગ સવારે 7:04 વાગ્યે શરૂ થશે અને બપોરે 12:29 વાગ્યે સમાપ્ત થશે.
લગભગ 5 કલાક 25 મિનિટના આ ગ્રહણમાં 1 મિનિટ 12 સેકન્ડ માટે વલયાકાર સ્થિતિ રહેશે. સૂર્યગ્રહણનું જ્યોતિષીય મહત્ત્વ વૈશાખ અમાવસ્યાના રોજ સૂર્યગ્રહણનું કોઈ ધાર્મિક મહત્ત્વ નથી, પરંતુ ખગોળશાસ્ત્ર અને જ્યોતિષીય દૃષ્ટિકોણથી તેને વિશેષ માનવામાં આવે છે.
પુરીના જ્યોતિષી ડૉ. ગણેશ મિશ્રા જણાવે છે કે, આ ગ્રહણ 12 રાશિઓ તેમજ દેશ અને દુનિયાને અસર કરશે. જેના કારણે કુદરતી આફતો અને રાજકીય પરિવર્તનના સંકેત દેખાઈ રહ્યા છે. આ સાથે આ ગ્રહણના કારણે ઘણા લોકો માનસિક રીતે પરેશાન રહેશે.
સૂર્યગ્રહણ 20 એપ્રિલે સવારે 7-04 મિનિટે શરૂ થશે અને બપોરે 12-29 મિનિટ સુધી રહેશે. 20 એપ્રિલે લાગનારા સૂર્યગ્રહણની અસર બધી 12 રાશિઓ પર થશે. કેટલીક રાશિના જાતકોના જીવન પર હકારાત્મક તો કેટલીક રાશિના જીવન પર નકારાત્મક અસર પડી શકે છે.
આગામી સૂર્યગ્રહણ સર્વ પિતૃ અમાસના રોજ થશે
બીજું સૂર્યગ્રહણ 14 ઓક્ટોબરે થશે. આ 2023નું બીજું અને વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ હશે. આ વલયાકાર સૂર્યગ્રહણ આસો મહિનાની અમાવસ્યા એટલે કે સર્વપિત્ર અમાવસ્યાના દિવસે થશે, પરંતુ ભારતમાં તે દેખાશે નહીં. આ કારણે તેનું કોઈ ધાર્મિક મહત્ત્વ રહેશે નહીં. જેના કારણે પિતૃ ઉત્સવ પર કરવામાં આવતા સ્નાન-દાન અને પૂજાપાઠમાં સુતકનો દોષ નહીં રહે.