વલસાડ8 કલાક પહેલા
- કૉપી લિંક
વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વિવિધ તાલુકાઓમાંથી 262 લોકોએ કોરોના RTPCR ટેસ્ટિંગ કરાવ્યું હતું. જે પૈકી 4 દર્દીઓ કોરોના સંક્રમિત જાહેર થયા હતા. 7 દિવસ પહેલા સંક્રમિત જાહેર થયેલા 5 દર્દીઓએ જિલ્લા આરોગ્ય વિભાગ અને આયુષ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ સારવાર મેળવીને કોરોનાને માત આપી છે.
રાજ્ય આરોગ્ય વિભગની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રએ જિલ્લામાં આવેલા RTPCR ટેસ્ટિંગ સેન્ટર ઉપર સામાન્ય લક્ષણો ધરાવતા લોકોને કોરોના RTPCR ટેસ્ટ કરવી લેવા અપીલ કરવામાં આવી હતી. છેલ્લા 24 કલાક દરમ્યાન વલસાડ જિલ્લાના RTPCR ટેસ્ટિંગ સેન્ટર ઉપર 262 સામાન્ય લક્ષણ ધરાવતા લોકોએ કોરોના RTPCR ટેસ્ટ કરાવ્યા હતા. તે પૈકી વલસાડ જિલ્લામાં કુલ 4 સંક્રમિત જાહેર થયા હતા. સાથે છેલ્લા 7 દિવસ પહેલા સંક્રમિત જાહેર થયેલી 9 વર્ષની બાળકી સહિત 5 સંક્રમિત દર્દીઓએ જિલ્લા આરોગ્ય વિભગની સૂચના અને આયુષ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ સારવાર મેળવી કોરોનાને માત આપી છે.
આજે સંક્રમિત જાહેર થયેલા 4 દર્દીઓ પૈકી ઉમરગામ તાલુકાની CHCમાં વોર્ડ બોય તરીકે સેવા આપતો કોરોના વોરિયર્સની માતાને કોરોનાના સામાન્ય લક્ષણ જણાઈ આવતા તાત્કાલિક RTPCR ટેસ્ટ કરાવતા સંક્રમિત જાહેર થઈ હતી. જ્યારે વલસાડ તાલુકામાં રહેતી મહિલાને સારવાર માટે નજીકની અખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવતા RTPCR ટેસ્ટ કરાવતા સંક્રમિત જાહેર થતા કોરોના વોર્ડમાં કોરોના સાથે.અન્ય બીમારીની સારવાર માટે દાખલ કરવા આવી છે. જેની સાથે એક્ટિવ કેસનો આંક 78 ઉપર પહોંચ્યો છે.