Saturday, April 22, 2023

હૈદરાબાદ અને મહારાષ્ટ્રના 3 વેપારીએ અમદાવાદના કાપડના વેપારી સાથે 18.97 લાખની ઠગાઈ કરી | 3 traders from Hyderabad and Maharashtra defrauded a textile trader from Ahmedabad of 18.97 lakhs | Times Of Ahmedabad

અમદાવાદ18 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર.

અમદાવાદમાં ચોરી અને લૂંટની સાથે ઠગાઈના બનાવો પણ વધી રહ્યાં છે. આ બનાવોમાં ખાસ કરીને આંતરરાજ્ય ગેંગ અથવા તો વેપારીઓ સામેલ હોવાનું સામે આવતું રહે છે. ત્યારે શહેરમાં કાપડનો ધંધો કરતાં વેપારીની સાથે હૈદરાબાદ અને મહારાષ્ટ્રના ત્રણ વેપારીઓએ માલ ખરીદીને 18.97 લાખ નહીં ચૂકવી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ કાલુપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

આરોપીઓ પૈસા નહીં મળે જે થાય તે કરી લો એવો જવાબ
પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા 20 વર્ષથી કાલુપુરમાં કાપડનો ધંધો કરતા ચિંતનભાઈ ભાટીયાએ હૈદરાબાદના પુનિત અને મહેશભાઈને 60 દિવસમાં પેમેન્ટ કરવાની શરતે તૈયાર શર્ટનો 30.85 લાખનો માલ આપ્યો હતો. જે માલની સામે પુનિત અને મહેશભાઈએ 21 લાખ રૂપિયા ચૂકવ્યા હતાં. પરંતુ બાકી રહેલા 9 લાખ આપવા તેઓ ગલ્લાતલ્લાં કરતાં હતાં. ચિંતનભાઈ હૈદરાબાદ જઈને પણ તેમની પાસે પૈસા માગતા તો તેઓ પૈસા નહીં મળે જે થાય તે કરી લો એવો જવાબ આપતાં હતાં.

બાકી નીકળતા 9 લાખ ચૂકવવા માટે આનાકાની કરતા
બીજી તરફ મહારાષ્ટ્રના નાગપુરના પિયુષ જૈન નામના વેપારીએ પણ ચિંતનભાઈ પાસે 18 લાખથી વધુનો માલ ખરીદ્યો હતો. ત્યારબાદ તેમણે ચિંતનભાઈને સમયાંતરે 8.73 લાખ રૂપિયા મોકલી આપ્યા હતાં અને બાકી નીકળતા 9 લાખ ચૂકવવા માટે આનાકાની કરતાં હતાં. ખોટા બહાના બતાવી પૈસા નહીં મળે જે થાય તે કરી લો એવો જવાબ આપતાં હતા. આ ત્રણેય વેપારીઓએ ચિંતનભાઈ સાથે 18.97 લાખની છેતરપિંડી કરીને વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ કાલુપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પોલીસે ફરિયાદ લઈને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: