Tuesday, April 18, 2023

ગુજરાતમાં કોરોનાના નવા 304 કેસ, છ દર્દીઓ વેન્ટિલેટર પર; અમદાવાદ સહિત આ જિલ્લામાં સૌથી વધુ કેસ | 304 new cases of corona in Gujarat, six patients on ventilator; Most cases in this district including Ahmedabad | Times Of Ahmedabad

અમદાવાદ4 કલાક પહેલા

  • કૉપી લિંક

રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઊંચક્યું છે. છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં કોરોનાના કેસ 300ની આસપાસ આવી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 304 કેસ નોંધાયા છે. જેની સામે 370 દર્દીઓ સાજા થયા છે અને હાલ છ દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. જોકે, રાજ્યમાં આજે કોરોનાથી એકપણ દર્દીનું મોત થયું નથી.

રાજ્યમાં કોરોનાના કુલ 2149 એક્ટિવ કેસ
કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 2149 એક્ટિવ કેસ છે. જેમાંથી છ દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 2143 દર્દીઓ હાલ સ્ટેબલ છે. ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,74,577 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11072 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

અમદાવાદ, વડોદરા અને સુરતમાં સૌથી વધુ કેસ
કોરોના કેસને લઇ જિલ્લા અને કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 91 કેસ નોંધાયા છે. ત્યારબાદ સુરતમાં 42 કેસ સામે આવ્યા છે. વડોદરામાં 34 કેસ નોંધાયા છે. મહેસાણામાં 19 કેસ સામે આવ્યા છે. વલસાડમાં 14 કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં 19 કેસ સામે આવ્યા છે. રાજકોટમાં 12 કેસ નોંધાયા છે. સાબરકાંઠામાં 10 કેસ સામે આવ્યા છે. ભરૂચમાં 10 કેસ નોંધાયા છે. પાટણમાં પણ 9 કેસ સામે આવ્યા છે. અમરેલીમાં 9 કેસ નોંધાયા છે. બનાસકાંઠામાં 5 કેસ સામે આવ્યા છે. મોરબીમાં પણ 5 કેસ નોંધાયા છે. આણંદમાં 4 કેસ, બોટાદમાં 3 કેસ, ગીર સોમનાથમાં 3 કેસ, નવસારીમાં 3 કેસ, કચ્છમાં 2 કેસ, નર્મદામાં 2 કેસ, પંચમહાલમાં 2 કેસ, સુરેન્દ્રનગરમાં 2 કેસ, તાપીમાં 1 કેસ, ભાવનગરમાં 1 કેસ અને જામનગરમાં પણ 1 કેસ નોંધાયો છે.

એપ્રિલ મહિનામાં કોરોનાથી 17નાં મોત
કોરોનાથી રાજ્યમાં દર્દીના મોતની વાત કરીએ તો 4 એપ્રિલના અમદાવાદના બોપલમાં રહેતા 71 વર્ષીય વૃદ્ધનું મોત થયું હતું. જેમને હાઇપર ટેન્શનની બીમારી હતી. 6 એપ્રિલના અમદાવાદના ગોમતીપુરના 59 વર્ષીય યુવકનું મોત થયું હતું. 8 એપ્રિલના એક જ દિવસમાં ત્રણ દર્દીનાં મોત થયાં હતાં. જેમાં અમદાવાદના જોધપુરમાં 91 વષીય વૃદ્ધનું મોત થયું હતું. ત્યારે રાજકોટમાં પણ 1 દર્દીનું મોત થયું હતું. આ ઉપરાંત ભાવનગરમાં પણ 1 દર્દીનું મોત થયું હતું. 9 એપ્રિલના અમદાવાદના સરસપુર રખિયાલ વોર્ડમાં કોરોનાથી 60 વર્ષીય મહિલાનું મોત થયું હતું.

10 એપ્રિલના પણ અમદાવાદના મણિનગરમાં 71 વર્ષીય વૃદ્ધનું મોત થયું હતું. 11 એપ્રિલના અમદાવાદના રામોલ હાથીજણ વોર્ડમાં 27 વર્ષીય યુવતીનું કોરોનાથી મોત થયું હતું. 12 એપ્રિલના રાજ્યમાં કોરોનાથી બે મોત થયાં છે. જેમાં અમદાવાદમાં એક દર્દીનું મોત થયું હતું. જ્યારે મહેસાણામાં સારવાર દરમિયાન 50 વર્ષીય આધેડનું મોત થયું હતું. 14 એપ્રિલના ગિર સોમનાથમાં એક દર્દીનું મોત થયું હતું. 15 એપ્રિલના રાજ્યમાં ત્રણ દર્દીના મોત થયાં હતાં. જેમાં અમદાવાદના બોડકદેવના 84 વર્ષીય વૃદ્ધનું મોત થયું હતું. વડોદરામાં 1 દર્દીનું મોત થયું હતું. જ્યારે વલસાડમાં 1 દર્દીનું મોત હતું. 16 એપ્રિલનના રાજ્યમાં વધુ ત્રણ દર્દીનાં મોત થયાં હતાં. જેમાં અમદાવાદમાં એક દર્દીનું મોત થયું હતું. ખેડામાં એક દર્દીનું મોત હતું. જ્યારે અરવલ્લીમાં પણ એક દર્દીનું મોત નીપજ્યું હતું.

માર્ચ મહિનામાં કોરોનાથી નવ લોકોનાં મોત
રાજ્યમાં 10 માર્ચના સુરતમાં એક દર્દીનું મોત થયું હતું. 21 માર્ચે ભરૂચના ઝઘડિયામાં 81 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. 22 માર્ચે મહેસાણામાં ત્રણ વર્ષના બાળકનું મોત થયું હતું. 23 માર્ચે અમદાવાદમાં 13 વર્ષની બાળકીનું મોત થયું હતું. 25 માર્ચે રાજ્યમાં કોરોનાથી બે દર્દીના મોત થયાં હતાં. જેમાં અમદાવાદમાં 72 વર્ષયી વૃદ્ધનું મોત નીપજ્યું હતું. જ્યારે કચ્છમાં 9 માસની બાળકીનું મોત થયું હતું. 26 માર્ચે વલસાડના નાનાપોંઢાની 60 વર્ષીય મહિલાનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું હતું. 30 માર્ચે કચ્છમાં એક દર્દીનું મોત થયું હતું. 31 માર્ચે સુરતમાં એક દર્દીનું મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: