રાજકોટએક કલાક પહેલા
- કૉપી લિંક

રાજકોટ શહેરમાં ઉનાળાની આકરી ગરમીની શરૂઆત થઇ ચૂકી છે. જેને લઈને રોગચાળો વકરી રહ્યો છે. ત્યારે છેલ્લા અઠવાડિયામાં સિઝનલ રોગચાળાના 385 કેસ નોંધાયા છે. તો આશ્ર્ચર્ય વચ્ચે મેલેરીયા, ચીકનગુનીયાના કોઇ કેસ નોંધાયા નથી. જ્યારે ડેન્ગ્યુનો માત્ર એક જ કેસ મનપાનાં ચોપડે નોંધાયો છે. જોકે ટાઇફોઇડ, કમળો અને મરડાનો એકપણ કેસ મનપાનાં ચોપડે નોંધાયા નથી.
તકેદારી રાખવી જરૂરી
આ સપ્તાહ દરમિયાન તા.17 થી 23ના અઠવાડિયામાં શરદી, ઉધરસના 259, સામાન્ય તાવના 31 અને ઝાડા-ઉલ્ટીના 95 કેસ નોંધાયા છે. હવે ભારે તાપમાં ખોરાક અને પાણીજન્ય રોગચાળાથી બચવા બહારની ખાણીપીણી પૂરી તકેદારી સાથે આરોગવા આરોગ્ય વિભાગે અપીલ કરી છે.
10,377 ઘરમાં પોરાનાશક કામગીરી કરાઇ
દરમ્યાન વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.17 થી તા.23 દરમ્યાન 10,377 ઘરમાં પોરાનાશક અને 197 ઘરોમાં ફોગીંગ કામગીરી કરાઇ હતી. આ ઉપરાંત ડેંગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે રહેણાંક સિવાય અન્ય 274 પ્રીમાઇસીસમાં તપાસ કરી રહેણાંકમાં 267 અને 7 જેટલા કોર્મશીયલ આસામીઓને નોટીસ આપવામાં આવી છે.
લોકોને સહકાર આપવા આરોગ્ય અધિકારીની અપીલ
આરોગ્ય અધિકારીનાં જણાવ્યા મુજબ, ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વઘુ જનસમુદાય હોય તેવા સ્થેળોએ આ રોગ ફેલાવાનું જોખમ વઘુ રહે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાસ્થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્૫તિ ઘણી વધી જાય છે. રાજકોટ મનપા આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. જોકે આવા રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે.
ડેન્ગ્યુ મેલેરિયા અટકાયતી માટે ધ્યાનમાં રાખવાની બાબતો
(1) પાણીની સિમેન્ટની ટાંકી, સિન્ટેક્ષાની ટાંકી, બેરલ, કેરબા તથા અન્ય પાણી ભરેલ તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકીને રાખીએ. હવાચૂસ્ત ઢાંકણ ન હોય તો કપડાથી હવાચુસ્ત ઢાંકીને રાખીએ.
(2) પશુઓને પાણી પીવાની કુંડી, અવેડા દર અઠવાડિયે નિયમિત ખાલી કરી ઘસીને સાફ કરીએ.
(3) ફ્રિજની ટ્રે, માટલા, કુલર, ફુલદાની, પક્ષીકુંજ વગેરેનું પાણી નિયમિત ખાલી કરી, ધસીને સાફ કરીએ.
(4) બિનજરૂરી ડબ્બાડુબ્લી, ટાયર, ભંગારનો યોગ્ય સ્થળે નિકાલ કરીએ.
(5) અગાશી, છજજામાં જમા રહેતા પાણીનો નિકાલ કરીએ.
(6) છોડના કુંડામાં જમા રહેતા વધારાનો પાણોનો નિકાલ કરીએ.
(7) ડેન્યુ પ નો મચ્છમર દિવસે કરડતો હોવાથી દિવસ દરમ્યાયન પુરૂ શરીર ઢંકાય તેવા ક૫ડાં ૫હેરવા.