Thursday, April 27, 2023

અમદાવાદ સહિત રાજ્યના 5.24 લાખ વિદ્યાર્થીઓ આવતીકાલે પરીક્ષા આપશે, મેરિટના આધારે પ્રવેશ મળશે | 5.24 lakh students of the state including Ahmedabad will take the exam tomorrow, admission will be based on merit | Times Of Ahmedabad

અમદાવાદ4 કલાક પહેલા

  • કૉપી લિંક

અમદાવાદ સહિત રાજ્યના 5.24 લાખ વિદ્યાર્થીઓ આવતીકાલે જ્ઞાનસેતુ ડે સ્કૂલમાં એડમિશન માટે પરીક્ષા આપશે. રાજ્યના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર ધોરણ-5માં સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ્ઞાનસેતુ સ્કૂલમાં પ્રવેશ મેળવવા પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓને મેરીટ પ્રમાણે પોતાના તાલુકા અથવા નજીકના તાલુકામાં પ્રવેશ આપવામાં આવશે.

મેરિટના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે
રાજ્ય સરકાર દ્વારા આગામી શૈક્ષણિક સત્રથી જ્ઞાનસેતુ સ્કૂલનો પ્રોજેકટ શરૂ કરવામાં આવશે. રાજ્યમાં 400 જ્ઞાનસેતુ સ્કૂલ શરૂ કરવામાં આવશે, જેમાં પ્રત્યેક સ્કૂલમાં 500 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધોરણ-6માં પ્રવેશ આપવામાં આવશે. ખાનગી સ્કૂલોના વિદ્યાર્થીઓ જ્ઞાનસેતુની પરીક્ષા આપી શકશે નહી. પરીક્ષા બાદ પરિણામ આવશે ત્યારે મેરિટના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.

5.24 લાખ વિદ્યાર્થીઓ એડમીશન લેવા માટે કોમન ટેસ્ટ આપશે
અમદાવાદના 54 હજાર વિદ્યાર્થીઓ અલગ અલગ 202 સેન્ટર પર પરીક્ષા આપશે.રાજ્યભરમાં 5.24 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાનસેતુ સ્કૂલમાં એડમીશન લેવા માટે કોમન ટેસ્ટ આપશે. એડમીશન મેળવનાર વિદ્યાર્થીને જ્ઞાનસેતુ સ્કૂલમાં ગુણવત્તાયુક્ત અભ્યાસ વિના મૂલ્યે કરાવવામાં આવશે.વિદ્યાર્થી દીઠ 20,000 સ્કૂલને ચુકવવામાં આવશે.દર વર્ષે સ્કૂલને ફી માં 7 ટકાનો વધારો આપવામાં આવશે.

Related Posts: