Wednesday, April 26, 2023

હિંમતનગરમાં યોગ કેન્દ્ર, નોલેજ સેન્ટરને સૈદ્ધાંતિક મંજૂરી ન મળી; ત્રણ માસ અગાઉ પાલિકાએ ઠરાવ કર્યો હતો | Yoga Kendra, Knowledge Center in Himmatnagar did not get in-principle approval; The municipality had decided three months ago | Times Of Ahmedabad

હિંમતનગર43 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડની ગાઈડલાઈન મુજબ સૂચિત સ્થળ અને યોગ કેન્દ્રનો તાલમેલ બેસતો નથી, જમીન ટાઇટલની પણ સમસ્યા કારણભૂત
  • ભાજપના રાજમાં જ ભાજપ શાસિત પાલિકાના ઠરાવોને મંજૂરી મળતી નથી
  • આગવી ઓળખ પ્રોજેક્ટના નાણા હવે કેનાલ બ્યુટીફિકેશનમાં વપરાશે

રાજ્ય સરકાર દ્વારા અમલી શહેરની આગવી ઓળખ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં યોગા કેન્દ્ર અને નોલેજ સેન્ટરની સુવિધા ઉપલબ્ધ કરાવવા જાન્યુઆરી માસમાં પાલિકાની સામાન્ય સભામાં કરાયેલ ઠરાવને સરકારની સૈદ્ધાંતિક મંજૂરી ન મળવાની બીના ટોક ઓફ ધ ટાઉન બની રહી છે. ભાજપ શાષિત પાલિકાના ઠરાવને ભાજપ સરકાર દ્વારા જ સૈદ્ધાંતિક મંજૂરી ન મળતાં વિધાનસભા ચૂંટણી બાદ બદલાયેલ હિંમતનગર બેઠકના પ્રતિનિધિત્વની સરકારમાં કેટલી પકડ છે. તે બાબત ચર્ચામાં એરણે ચઢી છે. તદુપરાંત દોઢ કરોડના ખર્ચે ગાંધીરોડ બ્યુટીફિકેશન પ્રોજેક્ટ પર પણ તલવાર તોળાઇ રહેવાનું જાણવા મળી રહ્યું છે.

વિશ્વસ્ત સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડની ગાઈડલાઈન મુજબ સૂચિત સ્થળ અને યોગા કેન્દ્ર વગેરેનો તાલમેલ બેસતો નથી. તદુપરાંત જમીન ટાઇટલની પણ સમસ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. હિંમતનગર શહેરની મધ્યમાંથી પસાર થતી હાથમતી કેનાલનું લગભગ અડધું બ્યુટીફિકેશન થઈ ગયું છે.

બાકી રહેતાં કેનાલ પટ્ટી વિસ્તારમાં કામગીરી ચાલી રહી છે. રાજ્ય સરકારે અમલી બનાવેલ શહેરની આગવી ઓળખ પ્રોજેક્ટની ગ્રાન્ટ અંતર્ગત હિંમતનગર પાલિકાની તારીખ 19/01/22ના રોજ યોજાયેલ સામાન્ય સભામાં ઠરાવ નંબર 103થી યોગા કેન્દ્ર અને નોલેજ સેન્ટર-ઈલાઇબ્રેરી બનાવવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ સરકાર દ્વારા આ ઠરાવને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં ન આવતાં અનેક ચર્ચાઓ એ જોર પકડયુ છે.

યોગા કેન્દ્ર અને નોલેજ સેન્ટરને સૈદ્ધાંતિક મંજૂરી ન મળતાં હવે આ જગ્યાએ વોકિંગ ટ્રેક ચિલ્ડ્રન પ્લે એરિયા, સિઝનેબલ માર્કેટ, સિનિયર સિટીઝન ગાર્ડન, કેનાલ બ્યુટીફિકેશન કરવા આગવી ઓળખ ગ્રાન્ટ અને ઇમ્પેક્ટ ફીની આવકમાંથી તથા વધારાનો ખર્ચ સ્વભંડોળમાંથી કરવા તારીખ 27/04/23 ગુરુવારે યોજાનાર સામાન્ય સભામાં ચર્ચા કરી ઠરાવ કરવામાં આવનાર છે.

વિધાનસભા ચૂંટણી પૂરી થયા પછી વિકાસ કામોના રૂપ રંગ બદલાવા માંડતા અનેક ચર્ચાઓએ જોર પકડયુ છે. દોઢ કરોડના ખર્ચે ડોક્ટર નલિનકાંત ગાંધી રોડની કાયાપલટ કરવાની હતી. તે પ્રોજેક્ટ પર પણ તલવાર તોળાઈ રહ્યાની ચર્ચા એ જોર પકડયુ છે. નોંધનિય છે કે સમગ્ર મામલે પાલિકાના સદસ્ય હરફ પણ ઉચ્ચારવા તૈયાર નથી અને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.

Related Posts: