Tuesday, April 18, 2023

સાટાખતને કારણે જૂની જંત્રી મુજબ 828 દસ્તાવેજ થયા | Satakhta resulted in 828 documents as per old Jantri | Times Of Ahmedabad

રાજકોટ42 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • જૂના દર મુજબ 22 તારીખ સુધીના ટોકન અપાયા
  • ​​​​​​​રાજકોટના વકીલો પાસે દસ્તાવેજનું લાંબુ વેઈટિંગ

રાજ્યભરમાં નવી જંત્રીનો દર લાગુ થઈ ગયો છે અને તેના પહેલા જ દિવસે રાજકોટ જિલ્લામાં 828 દસ્તાવેજ થયા છે. જોકે આ દસ્તાવેજો પણ નવા દરથી નહિ પણ જૂના દર મુજબ થયા છે. આ દર લાગુ થયા બાદ તંત્રએ સ્પષ્ટતા કરી હતી કે, 15 તારીખ પહેલાં જે લોકોએ સ્ટેમ્પ પેપર લઈને સાટાખત કર્યા હશે તેને આગામી 4 મહિના સુધી જૂના દર મુજબ જ દસ્તાવેજ કરવાના રહેશે. આ કારણે સ્ટેમ્પ પેપરનો ખૂબ ઉપાડ થયો હતો અને આ જ કારણે આગામી આખું સપ્તાહ જૂના દર મુજબના દસ્તાવેજ કરવા માટે જ ફુલ થઈ ગયું છે.

નોંધણી કચેરીના અધિકારીઓ જણાવી રહ્યા છે કે, આ સપ્તાહ સુધી તો જૂના દર મુજબ જ દસ્તાવેજ થશે આવતા સપ્તાહ બાદ નવી અસરથી કેટલા દસ્તાવેજ થાય છે અને તેની સંખ્યા કેટલી રહે છે તે જાણી શકાશે. જોકે મે મહિના સુધી તો બંને પ્રકારના દસ્તાવેજ થતા હોવાથી સાચો આંક મળશે જ નહિ.

જેમ કે 15 તારીખ સુધી રાજકોટ જિલ્લામાં 1000થી વધુ દસ્તાવેજ થતા હતા જેમાં હવે નજીવો ઘટાડો આવ્યો છે. સોમવારે જે દસ્તાવેજ થયા છે તેમાંથી સરકારને 4.54 કરોડ રૂપિયાની આવક થઈ છે જેમાંથી નોંધણી ફી પેટે 64.90 લાખ મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, નવી જંત્રીના દર લાગુ પડે તે પૂર્વે જૂની જંત્રી મુજબ દસ્તાવેજ કરવા અનેક લોકોએ સ્ટેમ્પ પેપર લઈ લીધા છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: