ભાવનગર19 મિનિટ પહેલા
- કૉપી લિંક

- નારી ગામ પાસે ટ્રકે પાછળથી બાઇકને અડફેટે લીધું
- કુંભારવાડામાં યુવક ઉપર અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંક્યા
ભાવનગર શહેરમાં સિદસર વિસ્તારના સહયોગ સોસાયટીમાં રહેતા અને પી.જી.વી.સી.એલ.માં ડાયમંડ ચોકમાં નોકરી કરતા મનસુખભાઇ પરમાર તેમજ તેના પત્નિ સુશીલાબેન મનસુખભાઇ પરમાર (ઉ.વ.45) પોતાના ઘરેથી સાંજના સુમારે નારી ગામ પાસે મરચું લેવા જતા હતા તે વેળાએ ભાવનગરથી પૂરપાટ ઝડપે આવી રહેલ ટ્રક નં. GJ 10 Z 5589 નામના ચાલકે બાઇક ચાલક દંપતીને પાછળથી ટલ્લો મારતા પતિ સામે જ તેના પત્નિનું કરૂણ મોત નિપજ્યું હતું. આ બનાવ બનતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. મૃતક સુશીલાબેનને પી.એમ. માટે સર.ટી. હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ બનાવની વરતેજ પોલીસે તપાસ હાથ ધરી હતી.
જ્યારે શહેરના ટેકરી ચોક નજીક રહેતો અશ્વિન લક્ષમણભાઇ મકવાણા નામનો યુવાન ચુડા ગામેથી આવેલા મિત્રો સાથે કુંભારવાડા નજીક તકદીર ઓટોમાં બાઇક લેવા ગયો હતો તે વેળાએ કોઇ અજાણ્યા શખ્સોએ ધસી આવી યુવકને આંતરી પેટના ભાગે છરીના ઘા મારી નાસી છુટ્યા હતા. તથા અન્ય યુવકને ઇજા પહોંચી હતી. આ બનાવથી લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. બોરતળાવ પોલીસે ઘટના સ્થળે પહોંચી સી.સી.ટી.વી.ના આધારે તપાસ હાથ ધરી અજાણ્યા શખ્સોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા.
જ્યારે ત્રીજા બનાવમાં મુળ પાલિતાણાના અને જામનગર કેન્ટીનમાંથી ઘરવખરીનો સમાન લેવા માટે નિવૃત આર્મીમેન તેના નાના પુત્ર પંકજ (ઉ.વ.25) સાથે નીકળ્યા હતાં. કાર તેનો પુત્ર પંકજ ચલાવતો હતો. દરમિયાન તેઓ આટકોટના જંગવડ પાસે પહોંચતા કારનું સ્ટેરિંગ જામ થઈ જતાં કાર ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈને મંદિરની દિવાલ સાથે ભટકાઈ પાસેના ખાડામાં પલ્ટી મારી ગઈ હતી. આ બનાવમાં પાલીતાણાના કારચાલક યુવકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જ્યારે સાથે રહેલા નિવૃત આર્મીમેન તેના પિતાને ઇજા પહોંચતા સારવારમાં રાજકોટ ખસેડાયા હતાં.