- Gujarati News
- Local
- Gujarat
- Surat
- After The Implementation Of The Ashantdhar In Surat, The Lack Of Proper Compliance Came To Light, Local People Presented To The MLA’s Office
સુરતએક કલાક પહેલા
- કૉપી લિંક

ફરી એકવાર કોટ વિસ્તારમાં અશાંતધારાનો યોગ્ય અમલ ન થતો હોવાની ફરિયાદ
સુરત શહેરની અંદર સતત વસ્તી વધી રહી છે. ઘણા એવા વિસ્તારો કે જ્યાં ધાર્મિક સમતોલા જળવાઈ રહી નથી. જેને ધ્યાનમાં રાખીને અશાંત ધારો સુરતના કોર્ટ વિસ્તારમાં લાગુ કરવામાં આવ્યો હતો, જેથી કરીને ધાર્મિક સમન્વય જળવાઈ રહે પરંતુ અશાંત ધારાનો યોગ્ય અમલ આ વિસ્તારમાં થતો ન હોવાની ફરિયાદ ઉઠી રહી છે.
સ્થાનિક લોકોએ ધારાસભ્યને રજૂઆત
કોટ વિસ્તારના રહીશો સુરત પૂર્વ બેઠકના ધારાસભ્ય અરવિંદ રાણાને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, આપણા વિસ્તારમાં અશાંત ધારો લાગુ હોવા છતાં પણ કાયદાકીય રીતે તેનું ઉલંઘન થઈ રહ્યું છે. કેટલીક બાબતોનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. અશાંત ધારાનું જે રીતે પાલન થવું જોઈએ તે કરવામાં આવી રહ્યું નથી. જેથી અહીં રહેતા લોકોમાં ડર જોવા મળી રહ્યો છે.
નાયબ કલેકટરની કામગીરી યોગ્ય જણાતી નથી
સામાજિક આગેવાન આશિક ગાંધીએ જણાવ્યું કે, અશાંત ધારો લાગો હોવા છતાં પણ જે રીતે નાયબ કલેકટર દ્વારા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે તેનાથી અમને સંતોષ નથી અમને અત્યાર સુધીના અશાંતધારાના કાયદાના અભ્યાસ બાદ માલુમ પડ્યું છે કે કેટલાક નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. આ બાબતે અમે આગામી દિવસોમાં જિલ્લા કલેકટરનો પણ ધ્યાન દોરવાના છે કારણ કે હાલ જિલ્લા કલેકટર દ્વારા નાયબ કલેકટરને પાવર આપવામાં આવ્યા છે પરંતુ જ્યારે તેનો યોગ્ય રીતે અમલ થતા ન હોય ત્યારે કલેકટરને આ બાબતે ધ્યાન દોરવું અતિ આવશ્યક છે. આ બાબતે મુખ્યમંત્રીને પણ અમે રજૂઆત કરી ચૂક્યા છે. મુખ્યમંત્રી દ્વારા પણ આ મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવ્યો છે પરંતુ હજી સુધી જે અશાંત ધારાની મિલકતોના પ્રશ્નો છે તે હજુ ઉકેલાઈ રહ્યા નથી.