દાહોદ2 મિનિટ પહેલા
- કૉપી લિંક
દાહોદ શહેરના ગોધરા રોડ જનતા કોલોનીમાં એક મકાન માલિક દ્વારા પોતાના રહેણાંક મકાન ફરતે રસ્તાની જગ્યાએ ગેરકાયદેસર દબાણ કર્યુ હતુ.જેને પગલે સ્થાનીક જાગૃત નાગરિક દ્વારા આ મામલે દાહોદ નગરપાલિકાથી લઈ ગાંધીનગર સુધી લેખિત રજુઆત કરતાં આજરોજ દાહોદ નગરપાલિકાની ટીમે પોલીસને સાથે રાખી મકાન માલિકે કરી દેવામાં આવેલ ગેરકાયદેસર અડધુ દબાણ તોડી પાડવામાં આવ્યું હતું જ્યારે બાકીના દબાણ મામલે તંત્ર દ્વારા સોમવાર સુધીની મોહલત આપી હોવાનું જાણવા મળે છે.
ગેરકાયદેસ દબાણ કરી સીડી બનાવી દીધી હોવાની રજૂઆત થઈ હતી
દાહોદના ગોધરા રોડ જનતા કોલોનીમાં રહેતા સંજયભાઈ જયેસવાલ આશરે 25 વર્ષ અગાઉથી પોતાના મકાનમાં રહે છે. એમના ઘરની આગળ પ્લોટ નંબર 15માં મકાન માલિકે ગેરકાયદેસર દબાણ કરી દીવાલ ઉભી કરી દીધી હતી . બીજા માળ પર ચઢવા માટેની નીસરણી પણ બનાવી દેવાના રજૂઆત આવી હતી. રસ્તાની જગ્યા પર આ દબાણ કરતાં જેના કારણે સુખ, દુઃખના પ્રસંગમાં મકાનની પાછળ રહેતા રહીશોને અવર જવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.
સથાનિકે દાહોદથી ગાંધીનગર સુધી રજુઆત કરી હતી
જેની ફરિયાદ સંજયભાઈ જયેશવાલએ મુખ્યમંત્રી, અધિક ગૃહ સચિવ ગૃહ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર, ગુજરાત માનવ અધિકાર આયોગ, દાહોદ જિલ્લા કલેકટર કચેરી તેમાં તમામને લાગતા વળગતા અધિકારીઓને ગેરકાયદેસર કરવામાં આવેલ દબાણ દૂર કરવા લેખિત ફરિયાદ કરી હતી. જે ફરિયાદ લઇ દાહોદ નગરપાલિકાના દબાણ વિભાગના અધિકારીઓએ પોલીસને સાથે રાખી જનતા કોલોની પહોંચી જેસીબીની મદદથી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.
દબાણ કરનારે વિરોધ કર્યો, પુરાવા આપવા મુદત આપી
દબાણ દુર કરાતા મકાન માલિકે વિરોધ કર્યો હતો અને જણાવવામાં આવ્યું જહતું કે આ જમીન મારી છે, મારા દ્વારા કોઈ દબાણ કરવામાં આવેલ નથી અને ટૂંક સમયની મોહલત માંગી હતી.પણ પ્રશાસને કંઈ ન સાંભળી દબાણ દુર કર્યુ હતું. મકાન માલિક દ્વારા વારંવાર રજુઆતને ધ્યાને લઈ તંત્ર દ્વારા મકાન માલીકને સોમવાર સુધીની મહોલત આપી હતી અને તમામ પુરાવા સાથે રાખી હાજર રહેવા જણાવ્યું હતું.