અમદાવાદ14 મિનિટ પહેલા
- કૉપી લિંક
શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. કૂતરાઓના કારણે રોજ અનેક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. કૂતરા કરડવાના રોજના ત્રણથી ચાર કેસો સામે આવતા હોય છે ત્યારે અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં સોનલ સિનેમા રોડ ઉપર ગંભીર ઘટના સામે આવી છે. ઘોડિયામાં સુતેલા ત્રણ મહિનાના બાળકને ચાર જેટલા કૂતરાઓ ઉચકી અને તેને બચકા ભરી લીધા હતા. સ્થાનિક લોકો જોઈ જતા તાત્કાલિક તેઓ દોડ્યા હતા અને બાળકને કૂતરાઓના મુખમાંથી છોડાવ્યું હતું પગના અને કમરના ભાગે બાળકને બચકા અને નખ વાગતા ઈજાગ્રસ્ત થયું હતું. જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હોવાની વિગતો મળી છે.
મકતમપુરા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર હાજીભાઈ સિમેન્ટવાલાએ જણાવ્યું હતું કે ગુરુવારે સરખેજના સોનલ સિનેમા રોડ ઉપર બાગે નિશાંત સોસાયટીમાં મકાનનું બાંધકામનું કામ ચાલતું હતું. ત્યાં મજૂરી કરતા પરિવારનું નાનું બાળક ઘોડિયામાં સૂતું હતું. ત્યારે બેથી ત્રણ કુતરાઓ આવ્યા હતા અને કૂતરાને ઘોડિયામાંથી કાઢી અને બહાર લઈ ગયા હતા તેને શરીરના ભાગે બચકાઓ ભર્યા હતા. સ્થાનિક લોકો જોઈ જતા તેઓ તાત્કાલિક દોડ્યા હતા અને તેઓએ કૂતરાને ભગાડી અને બાળકને મોતના મુખમાંથી બચાવ્યું હતું. હાલમાં બાળક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે.
રખડતા કૂતરાઓ દ્વારા બાળકને ઘોડીયામાંથી ખેંચી અને બહાર કાઢી ઇજાગ્રસ્ત કરવાની આ સમગ્ર ઘટના ત્યાં સોસાયટીમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સ્થાનિક લોકોના ધ્યાન ઉપર આ બાબત આવી હતી જેના કારણે આજે આ બાળક તને મુખમાંથી બચી ગયું છે. રખડતા કૂતરાના ત્રાસના કારણે એક નવજાત બાળક આજે હોસ્પિટલમાં દાખલ છે છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની ઊંઘ ઉડતી નથી. જ્યારે પણ કોઈ પણ ફરિયાદ આવે તો મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની ટીમ ત્યાં જાય છે અને ખસીકરણ કરી અને ત્યાંથી પરત આવી જાય છે પરંતુ જે કૂતરાને પકડી અને અન્ય વિસ્તારમાં છોડવાની કામગીરી કરવાની હોય છે તે કરવામાં આવતી નથી.
અમદાવાદ શહેરમાં હવે રખડતા કુતરાઓની ખૂબ જ વધી ગઈ છે. રખડતાં કૂતરાઓના કારણે નાગરિકો ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા છે. દરેક વિસ્તારમાં આવેલી બે થી ત્રણ સોસાયટીઓમાં કૂતરાઓનો ત્રાસની ફરિયાદ આવતી હોય છે. કોર્પોરેટરોને પણ આ બાબતે ફરિયાદ કરવામાં આવતી હોય છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ આ મામલે જાણ કરવામાં આવતી હોય છે પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના ઢોર નિયંત્રણ વિભાગ દ્વારા આ મામલે કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. રખડતા કૂતરાઓનો ત્રાસ હવે દિવસે વધી રહ્યો છે. આમ અમને કોઈ નક્કર પગલા ભરવા જરૂરી છે હવે માત્ર મોટા જ નહીં પરંતુ નાના લોકોને પણ કૂતરાઓ કરડી રહ્યા છે અને મૃત્યુ પામે છે.