Sunday, April 23, 2023

ફલાયઓવર બ્રિજના નિર્માણ કાર્ય હેતુ પ્રકાશ ટોકીઝ ગરનાળુ હંગામી બંધ કરાતા પૂર્વ-પશ્ચિમમાં જવા માંગતા લોકોને હાલાકી | Due to the construction work of the flyover bridge, Prakash Talkies were temporarily closed during the summer, causing inconvenience to people who want to go east-west. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Due To The Construction Work Of The Flyover Bridge, Prakash Talkies Were Temporarily Closed During The Summer, Causing Inconvenience To People Who Want To Go East west.

નવસારી37 મિનિટ પહેલા

  • કૉપી લિંક

હાલમાં નવસારી શહેરમાં બે ઓવરબ્રિજની કામગીરી યુદ્ધના ધોરણે કાર્યરત છે. જે પૈકી પ્રકાશ ટોકીઝ પાસે અને વિજલપોર પાસે ઓવરબ્રિજની કામગીરી કાર્યરત છે. જે પૈકી પ્રકાશ ટોકીઝ ગરનાળા પાસે બ્રીજનું કામ 70% જેટલું પૂર્ણ થયું છે. પરંતુ રાહદારીઓ માટે આશીર્વાદરૂપ ગરનાળુ હંગામી ધોરણે બંધ કરવામાં રાહદારીઓને મુશ્કેલી થઈ રહી છે. પૂર્વ પશ્ચિમમાં જવા માંગતા રહીશોને મુશ્કેલી થઈ રહી છે.

જલાલપુરથી શહેરને અને શહેરને જલાલપુરથી જોડવા માટે રેલવે ફાટક ઉપર હાલમાં બાઈક ચાલક કાર ચાલકોને અનેક માનવ કલાકનો વેડફાટ કરવો પડી રહ્યો છે. અત્યાર સુધી ગરનાળુ હોવાથી ફાટક બંધ હોવા છતાં વાહન ચાલકો ત્યાંથી સરળતાથી પસાર થતા હતા પરંતુ હવે ઓવરબ્રિજની કામગીરીના કારણે કોન્ટ્રાક્ટર દ્વારા આ ગરનાળુ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેને લઇને માત્ર બાઈક ચાલકોને ફાટક અથવા જોખમ સાથે ગરનાળામાંથી પસાર થવું પડે છે.

ઈચ્છા શક્તિના ભાવને કારણે નવસારી શહેરમાં અત્યાર સુધી એક પણ ઓવરબ્રિજ તૈયાર થયો નથી નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર સહિત બિલ્લીમોરામાં ઓવર બ્રિજ તૈયાર થઈ ગયા છે પરંતુ નવસારી શહેરમાં અત્યાર સુધી એક પણ ઓવરબ્રિજ ની ભેટ શહેરીજનોને મળી નથી.

શાંતાદેવી વિસ્તારમાં મોટાભાગે રત્નકલાકાર વર્ગ નોકરી અર્થે સવાર સાંજ ગરનાળા માંથી પસાર થાય છે પરંતુ હાલમાં તે બંધ કરવામાં આવતા રત્ન કલાકારોને પણ મોટો ચકરાવો થઈ રહ્યો છે તેમના વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા થાય તેવી માંગ પણ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે…