Sunday, April 23, 2023

વઢવાણમાં ખનીજચોરી મામલે ખાણ ખનીજ વિભાગે ચાર ખનીજચોરો પર 1.21 અબજ રૂપિયાનો દંડ ફટકાર્યો | Mines and Minerals Department imposed a fine of 1.21 billion rupees on four mineral thieves in the case of mineral theft in Wadwan. | Times Of Ahmedabad

​​​​​​​સુરેન્દ્રનગર13 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના મોટા અને નાના મઢાદ ગામે ખનીજચોરો બ્લાસ્ટ કરી ખનીજચોરી કરતા હતા,જેથી ગામલોકોએ તંત્રને રજૂઆત કરી હતી. જે બાદ દિવ્યભાસ્કર ડિજિટલે આ વિસ્તારો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. ત્યારે હવે સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના નાના અને મોટા મઢાદ ગામે ખનીજચોરી મામલે ખાણ ખનીજ વિભાગે ચાર ખનીજચોરો પર અધધ……એક અબજ એકવીસ કરોડ સણસઠ લાખનો દંડ ફટકાર્યો છે.

દિવાલોમાં તિરાડો અને ભુકંપ જેવો અનુભવ થતો
વઢવાણ તાલુકાના મોટા મઢાદ અને નાના મઢાદના ગ્રામજનોની ઉગ્ર રજુઆત બાદ તંત્રએ તાકીદે ખનીજચોરી માપણી કરી અને ચાર ખનીજચોરો પર દંડ ફટકારવાની નોટીસ આપી હતી. જેમાં વઢવાણ તાલુકાના નાના અને મોટા મઢાદ ગામે ખનીજચોરી માટે બ્લાસ્ટ થતા ગામના ઘરોને વ્યાપક નુકશાન થવાની સાથે દિવાલો પડી જતી હતી અને સમગ્ર ઘરોની દિવાલોમાં તિરાડો અને ભુકંપ જેવો અનુભવ થતો હતો. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વખત આટલી મોટી રકમનો દંડ ખનીજ માફીયાઓને ફટકારાતા ખનીજ માફીયાઓમા ફફડાટ વ્યાપી ગયો છે.

ખનીજચોરી માટે બ્લાસ્ટ થતા ગામના ઘરોને વ્યાપક નુકશાન થવાની સાથે દિવાલો પડી જતી હતી

ખનીજચોરી માટે બ્લાસ્ટ થતા ગામના ઘરોને વ્યાપક નુકશાન થવાની સાથે દિવાલો પડી જતી હતી

2 દિવસ મેગા ઓપરેશન ચાલ્યું
સુરેન્દ્રનગર જીલ્લામા ખનીજચોરો ઉપર વારંવાર ખનીજ વિભાગની કડક કાર્યવાહી ચાલતી હોય છે. તાજેતરમાં જ રૂ. 3.50 કરોડના મુદામાલ સાથે સાયલા, મૂળી અને થાનગઢ તાલુકામાં સતત 2 દિવસ મેગા ઓપરેશન કરવામાં આવ્યું હતુ. જેમાં વઢવાણના નાના અને મોટા મઢાદમાં છેલ્લા પાંચથી વધુ વર્ષથી 30 લાખથી વધુ મેટ્રિક ટનનો જથ્થો ખાણ માફિયાઓએ ચોરી કર્યું હોવાનું સામે આવ્યું હતુ. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા સૌ પ્રથમવાર આટલી મોટી માત્રામાં ખનીજચોરીમાં દંડ ફટકારાયો છે. જેમાં વઢવાણ તાલુકાના નાના અને મોટા મઢાદના ગ્રામજનોની ગેરકાયદેસર બ્લાસ્ટીંગની ફરીયાદોના આધારે તંત્રએ તપાસ હાથ ધરી હતી. જેમાં આ બંને ગામના ચાર સર્વે નંબરના માલિકોને 20 દિવસમાં જવાબ રજૂ કરવા હાલ ખાણ ખનીજ તંત્ર દ્વારા નોટીસ ફટકારાઇ છે.

સમગ્ર ઘરોની દિવાલોમાં તિરાડો અને ભુકંપ જેવો અનુભવ થતો

સમગ્ર ઘરોની દિવાલોમાં તિરાડો અને ભુકંપ જેવો અનુભવ થતો

કોને કેટલો દંડ ફટકારવામાં આવ્યો?
રણજીત મસાણી: રૂ.14,20,56,277
રાજેશ આલ: રૂ. 41,31,35,536
જયદેવ રબારી: રૂ. 41,00,59,088
અજીત પગી: રૂ. 1,21,67,02,034

– આ અંગે સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગના અધિકારી નીરવ બારોટે જણાવ્યું કે, અમારા તંત્રની તપાસમાં ચાર સર્વે નંબરમાં સરકારે લીઝ ન આપી હોવા છતાં મોટાપાયે ખનીજ ચોરી માલુમ પડી હતી. જેમાં અંદાજે પાંચ વર્ષથી વધુ સમયથી ખોદકામ કરી 30 લાખથી વધુ મેડિકલ ટન બ્લેક ટ્રેપની ચોરી થઇ હોવાનું સામે આવ્યું હતુ. આથી આ સર્વે નંબરોના માલિકોને હાલ રૂ. 1.21 અબજનો દંડ ફટકારતી નોટીસ આપવામાં આવી છે. જેમાં તેઓને 20 દિવસમાં જવાબ રજૂ કરવાનો રહેશે.

અહીં ક્લિક કરી વાંચો, એક મહિના પહેલાં દિવ્યભાસ્કરે કરેલો ગ્રાઉન્ડ રિપોર્ટ

અન્ય સમાચારો પણ છે…

Related Posts: