વલસાડએક કલાક પહેલા
- કૉપી લિંક

વલસાડ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો સમાન બની છે. ઇદ અને અખાત્રીજ બંને તહેવાર ને લઈને શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યા નિવાસવા વલસાડ SP ડો. રાજદીપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. ગૌરવ પથ, સ્ટેડિયમ રોડ, કચેરી રોડ સહિતના વિસ્તારોમાં આડેધડ પાર્ક કરેલા વાહન ચાલકોને ટ્રાફિકન નિયમો યાદ કરાવ્યા હતા. ટ્રાફિકને નડતર રૂપ પાર્ક કરેલા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરીને વાહન ચાલકોને ટ્રાફિકન નિયમોનું ભાન કરાવ્યું હતું. સાથે મોટા જવેલર્સ સંચાલકોને તેમના ગ્રાહકોના વાહન પાર્કિંગ કરાવવાની જવાબદારીઓનું ભાન કરાવ્યું હતું.

વલસાડ શહેર માટે વર્ષોથી ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો બની રહી છે. નગર પાલિકાના દબાનો દિવસે દિવસે વધી રહ્યા છે. અને દબાનો વધતા વધતા રસ્તા ઉપર આવી પહોંચ્યા છે. આજે ઇદ અને અખાત્રીજ નિમિત્તે શહેરમાં લોકોમાં ખરીદી અને વેઓરીઓમાં અલગ અલગ વસ્તુઓ ના વેચાણ માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરમાં ટ્રાફિક સમસ્યા સર્જતાં વલસાડ સીટી પોલીસ અબે તેમની ટીમે પેટ્રોલિંગ કરતા ટ્રાફિકને નડતર રૂપ વાહન પાર્ક કરતા વાહન ચાલકો સામે પોલીસે કલમવાળી કરી હતી. વલસાડ સીટી પોલીસે ગૌરવ પથ ઉપર આવેલ કેબી મોલ સહિત વિસ્તારોમાં ટ્રાફિકને નડતર રૂપ પાર્ક કરતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી. વલસાડ સીટી પોલીસે આઝાદ ચોક, સ્ટેડિયમ રોડ, કચેરી રોડ, શાકભાજી માર્કેટ રોડ સહિતના વિસ્તારોમાં જવેલર્સ શો રૂમ બહાર ટ્રાફિકને નડતર રૂપ પાર્ક થયેલા વાહનો જોઈને ટ્રાફિકને નડતર રૂપ પાર્ક કરેલા તમામ વાહનો સામે કલમવાળી કરી હતી. સાથે જવેલર્સ સંચાલકો કે મોલ સંચાલકોને તેમના ગ્રાહકોના વાહનો ટ્રાફિકને નડતર રૂપ પાર્ક ન કરાવવા સમજ આપવામાં આવી હતી.
